

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1101 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1135 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 23 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં (SURAT Coronavirus updates) 226 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 69,986 છે. જેમાંથી એક્ટિવ કેસ 14,530 છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 226, અમદાવાદમાં 158, વડોદરામાં 113, રાજકોટમાં 93, જામનગરમાં 54, ભાવનગર 47, અમરેલી 33, જૂનાગઢ 32, પંચમહાલ 31, મહેસાણા, ગાંધીનગરમાં 30-30, દાહોદમાં 27, ગીર સોમનાથમાં 26, કચ્છમાં 22, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 20, પાટણમાં 19, વલસાડમાં 17, ભરૂચ, નર્મદામાં 11-11, ખેડામાં 10, આણંદ, બોટાદ, મહીસાગરમાં 9-9, છોટા ઉદેપુર, સાબરકાંઠામાં 8-8, નવસારીમાં 7, બનાસકાંઠા, પોરબંદરમાં 5-5, દેવભુમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3, તાપીમાં 2 અને ડાંગમાં 1 સહિત કુલ 1101 નવા કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10, અમદાવાદમાં 5, જૂનાગઢ, કચ્છ, વડોદરામાં 2-2 અને અમરેલી, ગાંધીનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆાંક 2629 થયો છે. બીજી તરફ સુરતમાં 549, અમદાવાદમાં 121, વડોદરામાં 67 સહિત કુલ 1135 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)