

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 667 કેસ નોંધાયા છે. જેની સામે 899 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4332 થયો છે. આજે રાજ્યમાં કુલ 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.92 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 133, સુરતમાં 120, સુરત જિલ્લામાં 37, વડોદરામાં 119, રાજકોટમાં 80, જૂનાગઢમાં 21, કચ્છ, ગાંધીનગરમાં 17-17, ભરુચમાં 16, જામનગર, ભાવનગરમાં 15-15, દાહોદ, મહેસાણામાં 14-14, આણંદ, ખેડામાં 10-10 સહિત કુલ 667 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 2 જ્યારે સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 137, સુરતમાં 173, 26 વડોદરામાં 157, રાજકોટમાં 73, ગાંધીનગરમાં 28, દાહોદમાં 39, જૂનાગઢમાં 73, મોરબીમાં 27, સુરેન્દ્રનગરમાં 20 સહિત 899 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)