

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2875 કેસ નોંધાયા છે. જેની સામે 2024 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4566 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.81 ટકા છે. અત્યાર સુધીમાં 64,89,441 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 7,83,043 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,98,737 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. વન મંત્રી ગણપતસિંહ વસાવા અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા છે.(પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 676, સુરતમાં 724, વડોદરામાં 367, રાજકોટમાં 276, જામનગરમાં 97, ભાવનગરમાં 77, ગાંધીનગરમાં 65, પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા, ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24 સહિત કુલ 2875 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 14 દર્દીના મોત થયા છે. સુરતમાં 8, અમદાવાદમાં 4 જ્યારે વડોદરા અને અમરેલીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 608, સુરતમાં 669, વડોદરામાં 199, રાજકોટમાં 185, ગાંધીનગરમાં 46, પાટણમાં 39, જામનગરમાં 37, મહેસાણામાં 28, ભાવનગરમાં 27, ખેડામાં 26, ભરુચમાં 18 સહિત કુલ 2024 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)