

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1607 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1388 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3938 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20,51,16 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,732 છે. આજે રાજ્યમાં કુલ 69,283 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44, ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31, બનાસકાંઠામાં 51, પાટણમાં 49, જામનગર, મહેસાણામાં 43-43, આણંદમાં 37, ખેડામાં 35 સહિત કુલ 1607 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 11, સુરતમાં 4 જ્યારે ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 337, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 173, સુરત જિલ્લામાં 21, વડોદરા શહેરમાં 257, વડોદરા જિલ્લામાં 38 , રાજકોટ શહેરમાં 81 રાજકોટ જિલ્લામાં 36, બનાસકાંઠામાં 57 સહિત કુલ 1388 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)