

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)1560 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1302 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3922 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 20,35,09 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,529 છે. આજે રાજ્યમાં કુલ 70,820 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.93 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 361, સુરતમાં 289, વડોદરામાં 180, રાજકોટમાં 138, ગાંધીનગરમાં 70, પાટણમાં 64, જામનગરમાં 45, બનાસકાંઠામાં 41, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદ, ખેડામાં 28-28, મહીસાગરમાં 26, જૂનાગઢમાં 24, દાહોદમાં 23, ભરુચ, કચ્છમાં 21-21, અમરેલી, મોરબી, સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17, નર્મદામાં 10, ભાવનગરમાં 8, ગીર સોમનાથમાં 7, અરવલ્લી, નવસારીમાં 6-6 સહિત કુલ 1560 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 16 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 12, સુરતમાં 3 જ્યારે વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 357, સુરતમાં 195, વડોદરામાં 208, રાજકોટમાં 143, પાટણમાં 52, મહેસાણામાં 31 સહિત કુલ 1302 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)