

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 380 કેસ નોંધાયા છે. જેની સામે 637 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4381 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 89, સુરતમાં 81, વડોદરામાં 85, રાજકોટમાં 48, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 7, આણંદમાં 6, ભરૂચ, ખેડા અને કચ્છમાં 5-5 સહિત કુલ 380 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે. અમદાવાદ અને સુરતમાં 1-1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 160, સુરતમાં 94, વડોદરામાં 188, રાજકોટમાં 82, કચ્છમાં 21, ગાંધીનગરમાં 13, દાહોદમાં 10 સહિત 637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)