અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 460 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.57 ટકા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓનું રસીકરણ (corona vaccination)થયું છે. 1,65,538 લોકોને વેક્સીનનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં એકમાં એકા એક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. છેલ્લા પાંચ દિવસમાં 21 સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમા મુકાઇ છે. ફરી એકવાર કોરોના કેસ વધવાની ભિતી છે.(પ્રતિકાત્મક તસવીર)
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. આજે ડાંગ, અને પાટણ એમ કુલ 2 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (પ્રતિકાત્મક તસવીર)