

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 423 કેસ નોંધાયા છે. જેની સામે 702 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4375 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.39 ટકા છે. રાજયમાં આજે 31,116 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 78,319 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 85, સુરતમાં 92, વડોદરામાં 87, રાજકોટમાં 59, કચ્છ, ગાંધીનગરમાં 11-11, જૂનાગઢમાં 9, ખેડા, મહેસાણામાં 6-6 સહિત કુલ 423 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 186, સુરતમાં 104, વડોદરામાં 223, રાજકોટમાં 81, ગાંધીનગરમાં 14, જામનગરમાં 10 સહિત 702 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)