

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 700 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4374 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.28 ટકા છે. રાજયમાં આજે 11,352 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 47,203 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 91, સુરતમાં 96, વડોદરામાં 92, રાજકોટમાં 51, કચ્છમાં 15, ગાંધીનગરમાં 12, ભરુચમાં 11, પંચમહાલમાં 8, દાહોદ, સાબરકાંઠામાં 7-7, ગીર સોમનાથ, ખેડા અને મોરબીમાં 6-6 કેસ સહિત કુલ 451 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. એક મોત અમદાવાદ અને એક મોત ડાંગમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 181, સુરતમાં 124, વડોદરામાં 188, રાજકોટમાં 88, દાહોદમાં 16, ગાંધીનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 8 સહિત 700 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)