

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 471 કેસ નોંધાયા છે. જેની સામે 727 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4372 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.17 ટકા છે. રાજયમાં આજે 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 35,851 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 95, સુરતમાં 91, વડોદરામાં 96, રાજકોટમાં 59, ગાંધીનગરમાં 14, જૂનાગઢ, કચ્છમાં 10, આણંદ, મોરબીમાં 8-8, જામનગરમાં 7, અમરેલી, દાહોદ, ગીર સોમનાથ, ખેડામાં 6-6 સહિત કુલ 471 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 1 દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 183, સુરતમાં 107, વડોદરામાં 183, રાજકોટમાં 65, કચ્છમાં 12, અરવલ્લીમાં 14, મહેસાણામાં 19, જામનગરમાં 17 સહિત 727 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)