

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1115 કેસ નોંધાયા છે. જેની સામે 1305 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 8 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4211 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,32,188 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 12,449 છે. આજે રાજ્યમાં કુલ 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.82 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 224, અમદાવાદ જિલ્લામાં 8, સુરત શહેરમાં 138, સુરત જિલ્લામાં 31, વડોદરા શહેરમાં 103, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 101, રાજકોટ જિલ્લામાં 28, ગાંધીનગર શહેરમાં 20, ગાંધીનગર જિલ્લામાં 29, મહેસાણામાં 50, પંચમહાલમાં 30, ભાવનગરમાં 27, કચ્છમાં 23, અમરેલી, ભરૂચમાં 22, ખેડા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 19-19 સહિત કુલ 1115 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 8 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3 જ્યારે બોટાદમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 221, અમદાવાદ જિલ્લામાં 7, સુરત શહેરમાં 153, સુરત જિલ્લામાં 24, વડોદરા શહેરમાં 53, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 99, રાજકોટ જિલ્લામાં 47, ગાંધીનગર શહેરમાં 39, ગાંધીનગર જિલ્લામાં 60, પાટણમાં 59, મહેસાણામાં 54, બનાસકાંઠામાં 42 સહિત 1305 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)