

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 535 કેસ નોંધાયા છે. જેની સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4360 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 109, સુરતમાં 94, વડોદરામાં 101, રાજકોટમાં 78, જૂનાગઢમાં 19, ગાંધીનગરમાં 15, દાહોદમાં 12, કચ્છ, જામનગરમાં 11, મોરબીમાં 10-10, ખેડામાં 9, આણંદ, ગીર સોમનાથમાં 6-6 સહિત કુલ 535 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 185, સુરતમાં 144, વડોદરામાં 64, રાજકોટમાં 91, કચ્છમાં 47, આણંદમાં 26, નર્મદામાં 20, જામનગરમાં 16, સાબરકાંઠામાં 15 સહિત 738 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)