

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 570 કેસ નોંધાયા છે. જેની સામે 737 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4357 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.51ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 112, સુરતમાં 98, વડોદરામાં 104, રાજકોટમાં 85, ભરુચમાં 18, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14, જૂનાગઢમાં 13, દાહોદમાં 12, કચ્છમાં 11, આણંદમાં 10, ગીર સોમનાથમાં 9, મોરબીમાં 8, સાબરકાંઠામાં 7 સહિત કુલ 570 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 184, સુરતમાં 140, વડોદરામાં 69, રાજકોટમાં 79, મહેસાણામાં 50, ગાંધીનગરમાં 34, મહીસાગરમાં 32, દાહોદમાં 30, જૂનાગઢમાં 23 સહિત 737 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)