

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 268 કેસ નોંધાયા છે. જેની સામે 281 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4400 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.67 ટકા છે. રાજયમાં આજે 25,823 વ્યક્તિઓને કોરોનાની રસી (corona vaccination) આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,67,611 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 60, સુરતમાં 36, વડોદરામાં 53, રાજકોટમાં 46, આણંદમાં 8, ખેડા, જામનગર, ગાંધીનગરમાં 7-7 સહિત કુલ 268 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ મોત અમદાવાદમાં થયું છે. બીજી તરફ અમદાવાદમાં 61, સુરતમાં 46, વડોદરામાં 41, રાજકોટમાં 45, દાહોદ, કચ્છમાં 10-10 સહિત કુલ 281 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)