

અમદાવાદ : રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 1204 કેસ નોંધાયા છે. જેની સામે 1338 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 12 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4160 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,26,508 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 13,481 છે. આજે રાજ્યમાં કુલ 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.21 ટકા છે. (પ્રતિકાત્મક તસવીર)


આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 251, અમદાવાદ જિલ્લામાં 9, સુરત શહેરમાં 158, સુરત જિલ્લામાં 20, વડોદરા શહેરમાં 117, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 98, રાજકોટ જિલ્લામાં 28, ગાંધીનગર શહેરમાં 22, ગાંધીનગર જિલ્લામાં 34, મહેસાણામાં 43, કચ્છમાં 33, દાહોદમાં 29 સહિત કુલ 1204 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 12 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 2 જ્યારે વડોદરા, રાજકોટ, મહેસાણા, નવસારી અને આણંદમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 257, અમદાવાદ જિલ્લામાં 11, સુરત શહેરમાં 205, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 62, વડોદરા જિલ્લામાં 25 , રાજકોટ શહેરમાં 103, રાજકોટ જિલ્લામાં 45, ગાંધીનગર શહેરમાં 70, ગાંધીનગર જિલ્લામાં 32, પંચમહાલમાં 45, કચ્છમાં 43, બનાસકાંઠામાં 42 સહિત 1338 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)