અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 26 કેસ નોંધાયા છે. જેની સામે 19 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,59,297 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 5,83,50,222 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 7, વડોદરામાં 2, રાજકોટમાં 2, ગીર સોમનાથ, પોરબંદરમાં 2-2, અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ, નવસારી, વલસાડમાં 1-1 સહિત કુલ 26 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ સુરતમાં 5, વડોદરામાં 4, રાજકોટમાં 3, જામનગરમાં 3, કચ્છમાં 2, નવસારી, પોરબંદરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં (India Corona Cases) ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. 24 કલાકમાં 31 હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં (Covid Active Cases) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે 187 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં 19,675 કેસ નોંધાયા છે અને 142 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 31,923 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 282 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,35,63,421 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ 83,39,90,049 કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71,38,205 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)