અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 22 કેસ નોંધાયા છે. જેની સામે 21 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2,96,273 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 6,67,17,912 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 5, સુરતમાં 9, વલસાડમાં 4, જૂનાગઢમાં 2, નવસારી, વડોદરામાં 1-1 સહિત કુલ 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 6, વલસાડમાં 5, સુરતમાં 4, રાજકોટમાં 3, વડોદરા, નવસારી અને ભાવનગરમાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)
સુરત શહેરના પોશ વિસ્તાર કહેવાતા ન્યુ સિટીલાઇટ રોડ ઉપર આવેલા જ્ઞાનવૃદ્ધિ ટ્યુશન કલાસીસમાં છેલ્લા પાંચ દિવસમાં સાત વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ જાહેર થતાં આરોગ્ય તંત્રએ કલાસીસ 14 દિવસ માટે બંધ કરાવી દીધું છે. સાથોસાથ ટ્યુશનમાં અભ્યાસ માટે આવતા 125 વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરવા મેસેજ છોડવામાં આવ્યા છે. ગુરુવારે કલાસીસમાં અભ્યાસ કરતો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. આ સાથે જ તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ટ્યુશન કલાસીસમાં સતત કેસો વધી રહ્યાં હોય તાત્કાલિક અસરથી કલાસીસ બે સપ્તાહ માટે બંધ કરાવવા આદેશ થયો હતો.