Home » photogallery » gir-somnath » કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

Gir mango: ભારે પવન કડાકા અને ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ફરી ખેડૂતો ચિંતાતુર બન્યા છે

  • 17

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના અને તાલાળામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે વિશ્વવિખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. આ સાથે ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ આખા પટ્ટામાં 50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો છે તેમ કહી શકાય છે.

    MORE
    GALLERIES

  • 27

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    નોંધનીય છે કે, આ વિસ્તારમાં કેસર કેરીના ખેડૂતો ઘણાં ખુશ હતા. માવઠાના કહેર પહેલા અહીં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક થવાનું ખેડૂતોનું અનુમાન હતુ. ત્યારે માવઠાએ આ ખેડૂતોની આશા પર કરા ફેરવી દીધા છે.

    MORE
    GALLERIES

  • 37

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા ત્રણ તાલુકા મુખ્ય તાલાલા, ગીર ગઢડા અને ઉનામાં મોટાભાગે કેસર કેરીનું વાવેતર સાથે અન્ય નાના પાકો પણ લેતા હોય છે. ત્યારે ગઈકાલે બપોર બાદ અચાનક ભારે પવન કડાકા અને ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ફરી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

    MORE
    GALLERIES

  • 47

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    કેસર કેરી પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઉના અને ગીર ગઢડાના ગ્રામ્યમાં કેસર કેરીઓ ખરી પડી છે.

    MORE
    GALLERIES

  • 57

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    છેલ્લા પાંચેક વર્ષથી તાલાલા ગીર પંથકમાં કોઈને કોઈ ઘટનાને કારણે કેસર કેરીનો પાક સતત ઘટી રહ્યો છે. તો બીજી તરફ બે વર્ષ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ઉના અને ગીર ગઢડામાં તબાહી મચાવી હતી. જોકે ત્યારબાદ ઉનાના ખેડૂતોએ મહામહેનતે બે વર્ષ બાદ કેસર કેરીના ઝાડને તૈયાર કર્યા હતા. ત્યારે ફરી એકવાર આવી કુદરતી આફત આવી ગઇ છે.

    MORE
    GALLERIES

  • 67

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    જોકે ખેડૂતોને હતું કે, આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું હતું અને ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે સારી કમાણી કરીશું. અચાનક આવેલ કમોસમી વરસાદ અને પવનની તૈયારીને આરે ઉભેલી કેરીને જમીન દોસ્ત કરી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 77

    કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠઆને કારણે ગીરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન

    તો હવે આંબા પર લટકતી કેરી પણ પાણીના કારણે બે ચાર દિવસમાં સડી જવાની છે. ત્યારે કેસર કેરી પર કમોસમી માવઠાનું મોટું સંકટ આવ્યું છે. જેના કારણે કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે. સાથે કેરી 15 થી 20 દિવસ વાતાવરણને કારણે બજારમાં મોડી પણ પહોંચશે.

    MORE
    GALLERIES