Home » photogallery » gir-somnath » કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

કોડીનારના દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા યથાવત. ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો

  • 16

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: કોડીનારના દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા યથાવત જોવા મળી છે. હોળીની જ્વાળા જે દિશા તરફ જાય તેના પરથી અને હોળીની વચ્ચે રાખેલા કાચા ધાન્યના કુંભ પરથી આગામી ચોમાસાનો વરતારો પણ કાઢવામાં આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    આ દ્રશ્યો છે ગીર સોમનાથનાં દેવળી ગામના છે.10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામ સહિત જિલ્લાભરમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ દેવળી ગામમાં હોળી મોડીરાત્રે શાંત થયા બાદ તેના અંગારાને રસ્તા પર પાથરી અને તેના પર ચાલવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 36

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    ગામના યુવાનો, વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે. જોકે, આજ દિવસ સુધી કોઈને કોઈપણ પ્રકારે ઈજા પહોંચી નથી.

    MORE
    GALLERIES

  • 46

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    હોળીના દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે, તેનો વરતારો પણ કાઢવામાં આવે છે. પવનની દિશા અને હોળીની ઝાળ નૈઋત્ય ખૂણાની હોય, ઉપરાંત હોળીની વચ્ચે રાખવામાં આવેલા કાચા ધાન્યના કુંભને ખોલીને આ વરતારો ગામના વડીલો કાઢે છે. ધાન્ય પુરૂ પાક્યું ન હોય, આ વખતે 10 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 56

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા (અંગારા)ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    કોડીનારના આ ગામે હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા

    આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 10 આની રહેશે. એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે નહીં. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા.

    MORE
    GALLERIES