Home » photogallery » gir-somnath » ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

Saffron Mango of Gir: ગીર સોમનાથ જીલ્લો કે, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરની પ્રખ્યાત કેરીની ખુશ્બૂ દેશ વિદેશમાં વખણાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં બદલતા મોસમના મિજાજના કારણે કેસર કેરીના પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

  • 16

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જીલ્લો કે, જે ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરની પ્રખ્યાત કેરીની ખુશ્બૂ દેશ વિદેશમાં વખણાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરમાં બદલતા મોસમના મિજાજના કારણે કેસર કેરીના પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    MORE
    GALLERIES

  • 26

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    ઉલ્લેખનીય છે કે, આગોતરા આવેલા ફલાવરિંગમાં ખાખડી થઈ હતી અને હવે જ્યારે રાત્રે ઝાકળ અને દિવસે તપતા તાપના કારણે ખાખડી ખરવા લાગી છે. ઇજારદાર પોતાના બગીચાઓમાં મજૂર રાખી ખાખડી વિનાવી બજારમાં તો લઈ જાય છે પરંતુ ત્યાં તેઓને યોગ્ય ભાવ મળતા નથી અને મજૂરનું મહેનતાણું પણ માથે પડે છે.

    MORE
    GALLERIES

  • 36

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    શરૂઆતના સમયમાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિગ થતાં ઇજારદારને હતું કે, ચાલુ વર્ષે અઢળક કેરીનું ઉત્પાદન થશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 46

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    એક તરફ મિશ્ર ઋતુના કારણે ઇજારદાર ચિંતામાં મુકાયા છે, અને મજૂરોનું મહેનતાણું પણ નીકળતું નથી. તો બીજી તરફ બગીચા માલિકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણે જો આજ પરિસ્થતિ રહી તો કેસર કેરી ના ઉત્પાદન માં ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ બગીચામાં ખાખડી પડી રહેવા દે તો કેસર કેરીના પાક જંતુ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    બદલાતા મોસમના કારણે અત્યારે કેસર કેરીના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કારણ કે, પ્રથમ તો આંબામાં સારો એવો ફાલ આવ્યો હતો પરંતુ પછી મિશ્ર ઋતુના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

    MORE
    GALLERIES

  • 66

    ગીર સોમનાથમાં છેલ્લા પાંચ સાત દિવસથી બદલાયો મોસમનો મિજાજ, ગીરની કેસરની બેઠી કઠણાઈ

    ઉલ્લેખનીય છે કે, ગીરની કેસર કેરી ભારતમાં જ નહીં પરંતુ વિદેશી લોકો પણ તેના સ્વાદના ચાહક છે, જો આવી જ રીતે બેવડી ઋતુનો માહોલ રહેશે તો પછી કેરીના ઉતારમાં ઘટાડો નોંધાઈ શકે છે.

    MORE
    GALLERIES