Home » photogallery » gir-somnath » ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

Girsomnath Murder : તાલાળા (Talala) તાલુકાના હડમતીયા ગામે (Hadmatiya Village) ગ્રામ પંચાયત વતી પાણી વિતરણની વ્યવસ્થા જોતાં ઈસ્માઈલભાઈ ચોટીયારા પોતાને ધીમું પાણી આપે છે અને અન્ય લોકોને શા માટે વધારે પાણી આપે છે તેવું મનદુખ રાખી યુવકે હત્યા કરી દીધી

  • 14

    ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ (Gir Somnath) : કાળઝાળ ગરમી અને પાણીની કિલ્લત એક યુવકને હત્યાના માર્ગ પર દોરી ગઇ. તાલાલા (Talala) તાલુકાના હડમતીયા ગામે (Hadmatiya Village) પાણી વિતરણનું કામ સંભાળતા ઇસ્માઇલ ચોટિયારા નામના આધેડને પાણી આપવામાં અન્યાય કરતા હોવાના આરોપ લગાવીને મુસ્તકીન નામના 22 વર્ષીય યુવકે છરીના ઘા મારી રહેંસી નાખ્યા. સારવાર દરમિયાન આધેડનું મૃત્યુ થતાં પોલીસે હત્યા (Murder) નો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી.

    MORE
    GALLERIES

  • 24

    ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના પોકાર ઉઠતા સૌએ જોયા હશે, ઘણી વખત પાણી ન મળવાને કારણે બેડા યુદ્ધના દ્ર્શ્યો પણ સામે આવતા હોય છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પાણીની પારાયણ એક વ્યક્તિની હત્યા સુધી પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 34

    ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

    તાલાળા તાલુકાના હડમતીયા ગામે ગ્રામ પંચાયત વતી પાણી વિતરણની વ્યવસ્થા જોતાં ઈસ્માઈલભાઈ ચોટીયારા પોતાને ધીમું પાણી આપે છે અને અન્ય લોકોને શા માટે વધારે પાણી આપે છે તેવું મનદુખ રાખીને મુસ્તકીન નામના 22 વર્ષિય યુવકે પહેલા ટેલિફોનિક ઝઘડો કર્યો અને ત્યારબાદ 2જી મેના રોજ વેહલી સવારે પોતાનું બાઈક રીપેર કરી રહેલા ઈસ્માઈલભાઈ ચોટિયારા પર છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

    MORE
    GALLERIES

  • 44

    ગીર સોમનાથ : પાણીની કિલ્લત હત્યાના માર્ગે દોરી ગઈ, પાણી વિતરણનું કામ સંભાળતા વ્યક્તિને યુવકે રહેંસી નાખ્યો

    જ્યારે લોકોએ ઈસ્માઈલભાઈને સત્વરે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પરંતુ હૉસ્પિટલમાં તેમનું મૃત્યુ થતા પોલીસ દ્વારા હત્યા કરનાર યુવક મુસ્તકીન શેર વિરુદ્ધ ipc કલમ 302 અને 504 હેઠળ ગુન્હો નોંધ્યો છે

    MORE
    GALLERIES