Abhishek barad, gandhinagar: રાષ્ટ્ર જ્યારે આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ - કડી તથા ગાંધીનગરના પરીસરમાં આઝાદીના અમૃત મહોત્સવની ગૌરવપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે ઉત્તર ગુજરાતમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે સૌથી ઉચ્ચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.
રાજ્યના પાટનગરગાંધીનગર ખાતે આવેલાશૈક્ષણિક કેમ્પસ સેક્ટર 23 અને સેક્ટર 15 ખાતે 170 ફૂટ ઉંચ્ચા સ્થંભ પર 45 ફૂટ લંબાઈ અને 30 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સર્વ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા 15મી ઓગસ્ટ 2022ના સ્વતંત્રા દિવસેએક સાથે ત્રણકેમ્પસોમાં ફરકાવીઆ પ્રસંગ આઝાદીના અમૃત મહોત્સવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનશે.પરિણામે સર્વ વિદ્યાલય પરિવાર કડી અને ગાંધીનગરમાં અનેરો ઉત્સાહ પણ વર્ધિત થશે.
સમગ્ર નાગરિકવૃંદ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થાય, રાષ્ટ્રીય પ્રતીકો તથા એકતા અને અખંડિતતાના મૂલ્યો આત્મસાત કરે, દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદવીરોની શહીદીનું સ્મરણ કરી ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન કરે તે હેતુથી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી - ગાંધીનગર ‘હર ઘર તિરંગા અભિયાન’ માં ગૌરવસભર તથા સક્રિયપણે જોડાશે.
રાષ્ટ્રની આઝાદીના સંઘર્ષમાં સર્વ વિદ્યાલયનું પણ સવિશેષ પ્રદાન રહ્યું છે. આ સંઘર્ષમાં સંસ્થાના ઘણા છાત્રો, શિક્ષકોઅને સંચાલકોઓએ પણ ભૂતકાળમાં જેલવાસ વેઠ્યો છે.કડી અને ગાંધીનગરનાં શૈક્ષણિક કેમ્પસોમાં ફરજ બજાવતા તમામ 2800 કર્મચારીઓને પોતાના નિવાસસ્થાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ તરફથી દરેક કર્મચારીને રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજદંડ એનાયત કરવામાં આવશે.
કડી અને ગાંધીનગર સર્વ વિદ્યાલયના કર્મીઓ75 માં આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે ઉત્તર ગુજરાત અને ગાંધીનગરમાં સૌથી ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી ધન્યતા અનુભવશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રભક્તિ સાથે જોડાયેલ સર્વ વિદ્યાલય પરિવાર દ્વારા વર્ષ 2019 માં 551 ફૂટ લાંબા તિરંગા સાથે ઐતિહાસિક \"શૌર્યયાત્રા\" કડી અને ગાંધીનગરમાં યોજવામાં આવી હતી.