તેનાથી જહાજના સંતુલન પર અસર થાય છે. પાણીના દબાણમાં વધારો થવાને કારણે જહાજના એક ભાગમાં માલ સંગ્રહિત થઇ જાય છે. જહાજ એક જ ખૂણા પર લાંબા સમય સુધી જુકેલુ રહે છે અને પાણી ભરાવાનું શરૂ થાય છે. એટલું જ નહીં, ઘણી વખત જહાજ પાણીમાં એટલું ડૂબી જાય કે દરિયાઇ પાણી આવવાનું શરૂ થઇ જાય છે અને જહાજને ડૂબવા માટે તેની ભૂમિકા ભજવે છે.
જહાજમાં માલ-સામાન કેવી રીતે રાખવો? - જો માલ ભરવાની રીતમાં થોડો ફેરફાર કરવામાં આવે, તો મોટા અકસ્માતોને રોકી શકાય છે. આ ઉપરાંત, માલ ભર્યા પહેલા જ તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે કયા અયસ્ક લાદવામાં આવે અને ક્યા નહીં. સાથે એ પણ જોવું જોઇએ કે પાણીમાં દબાણ થવા પર ક્યાં અયસ્કમાં ક્યા રાસાયણિક પરિવર્તન થશે.