Home » photogallery » explained » કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

Operation Vijay: ભારત સ્વતંત્ર થયા પછી જ્યારે દેશના એકીકરણ (Integration)નું અભિયાન શરૂ થયું ત્યારે 50ના દાયકામાં ગોવા (Goa)ને પોર્ટુગીઝથી આઝાદ કરવા કહેવામાં આવ્યું હતું.

  • 17

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    ભારતીય સેનાએ ગોવાને એક દિવસ પહેલા 19 ડિસેમ્બર, 1961ના દિવસે પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું. 19 ડિસેમ્બર, 1961ના રોજ ઓપરેશન વિજય હેઠળ ભારતીય સેનાએ ગોવામાં પ્રવેશ કર્યો અને 450 વર્ષની ગુલામીમાંથી આઝાદી કર્યો.

    MORE
    GALLERIES

  • 27

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    ભારત અને પોર્ટુગલની સેનાઓ વચ્ચે લગભગ 36 કલાક સુધી યુદ્ધ ચાલ્યું હતું. આખરે પોર્ટુગીઝ સૈન્યએ ભારત સામે દમ તોડી દીધો. ભારતના પ્રયાસોના પરિણામે જ 30 મે, 1987ના રોજ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો. તેથી જ દર વર્ષે 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 37

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    અંગ્રેજો અને ફ્રાન્સના તમામ સંસ્થાનવાદી અધિકારો નાબૂદ થયા પછી પણ ભારતીય ઉપખંડમાં ગોવા, દમણ અને દિવમાં પોર્ટુગીઝોનું શાસન હતું. પોર્ટુગીઝો ભારત સરકારની વાટાઘાટોની વારંવારની માંગણીઓને નકારી રહ્યા હતા. જે બાદ ભારત સરકારે ઓપરેશન વિજય હેઠળ સેનાની એક નાની ટુકડી મોકલી હતી.

    MORE
    GALLERIES

  • 47

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    ઓપરેશન વિજય પર 18 ડિસેમ્બર, 1961ના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોવાની સરહદે ભારતીય સૈનિકોની ટુકડી ઘૂસી ગઈ હતી. જમીન, સમુદ્ર અને હવાઈ હુમલા 36 કલાકથી વધુ સમય સુધી ચાલ્યા હતા. ત્યારબાદ પોર્ટુગીઝ સેનાએ 19 ડિસેમ્બરે બિનશરતી રીતે ભારતીય સેના સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

    MORE
    GALLERIES

  • 57

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    વાસ્તવમાં ભારત માટે ગોવાને સ્વતંત્રતા આપવાનું એક ખાસ કારણ હતું. ગોવા પશ્ચિમ ભારતમાં સ્થાયી થયેલ એક નાનું રાજ્ય છે. નાનું કદ હોવા છતાં, તે એક મોટું વેપાર કેન્દ્ર હતું અને મરચન્ટસ ટ્રેડર્સને આકર્ષિત કરતા હતાં. મુખ્ય સ્થાનના કારણે મૌર્ય, સાતવાહન અને ભોજ રાજવંશોને પણ આકર્ષિત થયા હતાં.

    MORE
    GALLERIES

  • 67

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    હકીકતમાં, એક દાયકાથી નહેરુ સરકાર પોર્ટુગલને સન્માન અને અહિંસક માધ્યમો દ્વારા ગોવા સોંપવા માટે મનાવી રહી હતી, પરંતુ જ્યારે તે પદ્ધતિ નિષ્ફળ ગઈ, ત્યારે નહેરુએ આખરે ગોવાને બળજબરીથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો. જોકે, ભારતની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવતા પશ્ચિમી મીડિયાએ ભારતના આ પગલાની ખૂબ ટીકા કરી હતી. જોકે ગોવામાં આઝાદીની લાંબા સમયથી માંગ હતી.

    MORE
    GALLERIES

  • 77

    કેવી રીતે 36 કલાક ચાલેલા સૈન્યના ઓપરેશનથી 60 વર્ષ પહેલા ગોવા થયું સ્વતંત્ર, નહેરુની શું હતી ભૂમિકા

    ત્યારબાદ નહેરુએ તરત જ સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનને સંયુક્ત રાષ્ટ્રમાં મોકલ્યા જેથી પોર્ટુગલ તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવે તો તેનો જવાબ આપી શકાય. નહેરુએ પણ કાર્યવાહીના સમયને ખૂબ યોગ્ય ગણાવ્યો હતો. જોકે પોર્ટુગલે ફરી આ મામલો પોતાની જાતે જ સંયુક્ત રાષ્ટ્રમાં નહીં ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો. આ કાર્યવાહી બાદ ગોવાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. જોકે આ દિવસે માત્ર ગોવા જ નહીં પણ દિવ અને દમણને પણ આઝાદ કરવામાં આવ્યા હતા. ત્યાં પણ પોર્ટુગીઝ ધ્વજ ઉતર્યો અને ભારતીય તિરંગો લહેરાવા લાગ્યો.

    MORE
    GALLERIES