Home » photogallery » મનોરંજન » રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની લવ સ્ટોરીની સાથે સાથે તેમનાં લગ્નનો કિસ્સો પણ દિલચસ્પ છે.

  • 16

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    બોલિવૂડનાં એવરગ્રીન અને આદર્શ કપલ માનવામાં આવતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને એક-બીજાની સાથે આજે 46 વર્ષ થઇ ગયા. એટલે કે આ કપલની આજે 46મી વેડિંગ એનિવર્સરી છે. આ ખાસ સમયે તેમનાં દીકરા અભિષેક બચ્ચને બંનેની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરનાં કેપ્શનમાં અભિષેક બચ્ચને લખ્યું છે કે, મારા માતા-પિતાને લગ્નની વર્ષગાંઠ મુબારક, હું આપ બંનેને ખુબજ પ્રેમ કરું છું...#46andcounting'

    MORE
    GALLERIES

  • 26

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    આ તસવીર પર બોલિવૂડનાં ઘણાં સેલિબ્રિટીઝે કમેન્ટ કરીને બિગ બી અને જયાને વધામણી આપી છે. આ તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 36

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    અમિતાભ-જયાની લવસ્ટોરીની વાત કરીએ તો આ કોઇ ફિલ્મી કહાનીથી કમ નથી. બંને તે સમયે બોલિવૂડનાં સુપરસ્ટાર હતાં. અને બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. તે સમયે ફિલ્મોમાં તો તેમની જોડી ખુબ પસંદ કરવામાં આવતી હતી. આ સાથે જ મીડિયામાં પણ તેમનાં સંબંધને લઇને ઘણાં કયાસ કાઢવામાં આવતા હતાં. જોકે લગ્નની કહાની એટલી રસપ્રદ છે કે આપને વિશ્વાસ નહીં આવે.

    MORE
    GALLERIES

  • 46

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    અમિતાભ બચ્ચને એક જુના ઇન્ટરવ્યૂમાં આ કિસ્સો શેર કર્યો હતો બિગ બીએ કહ્યું કે, આ વાત તે સમયની છે જ્યારે હું અને જયા 'જંજીર' ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતાં ટીમે નિર્ણય લીધો કે જો ફિલ્મની સક્સેસ જશે તો તેની પાર્ટી લંડનમાં ઉજવાશે. લંડન ટ્રિપ અંગે પાપાને વાત કરી. તો તેમને મને પુછ્યું કોણ કોણ સાથે જઇ રહ્યાં છો?

    MORE
    GALLERIES

  • 56

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    અમિતાભ બચ્ચને જયા બચ્ચનનું નામ લીધુ. તો પિતાજીએ કહ્યું કે, વગર લગ્ન કરે તમે બંને સાથે લંડન નહીં જઇ શકો. પાપાની વાત સાંભળીને મે કહ્યું ઠીક છે તો અમે કાલે જ લગ્ન કરી લઇએ છીએ. અને અમે બધુ ઓર્ગેનાઇઝ કર્યું. અને આગાલા જ દિવસે લગ્ન કરી અને પછી અમે લંડન માટે નીકળી ગયા.

    MORE
    GALLERIES

  • 66

    રાતોરાત થયા હતા અમિતાભ અને જયાનાં લગ્ન, આ છે કારણ

    આવી રીતે થયા હતાં બોલિવૂડનાં લેજન્ડરી કપલનાં લગ્ન, જણાવી દઇએ કે, લગ્ન બાદ જયા બચ્ચને ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. જોકે તેઓએ ઘણાં સાઇડ રોલ કકર્યા હતાં. આજે જયા બચ્ચન રાજકારણમાં છે. અને તેઓ તેજ-તર્રાર નેતા તરીકે તેમની ઓળખ ધરાવે છે.

    MORE
    GALLERIES