ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ઘણાં સમયથી ચર્ચામાં છે. શોએ હાલમાં જ 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને હાલમાં શોનાં 3000 એપિસોડ પૂર્ણ થયા છે. જોકે, શોનાં 3000 વર્ષ પૂર્ણ થયાનાં થોડા સમય પહેલાં જ શોનાં બે કલાકારોએ અલવિદા કહી હતી. એક તો હતી નેહા મહેતા એટલે કે શોની અંજલી ભાભી. તેમની જગ્યાએ હવે આ કિરદાર સુનયના ફોજદાર અદા કરી રહી છે. (Photo Credit- @nehamehtaofficial/Instagram)
નેહાને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તેને લાગે છે કે સેટ પર તેનાં વિરુદ્ધ ગ્રુપિઝમ થઇ રહ્યું છે. જવાબમાં તેણે કહ્યું કે, ક્યારેક ક્યારેક કેટલાંક મુદ્દાઓ પર ચુપ્પી સાધવી સૌથી યોગ્ય જવાબ છે. હું અહીં કંઇ કહેવા નથી આવી. હું કોઇ સ્પર્ધા, ઇર્ષ્યા, પાવર ગેમ અને અહંકારનો શિકાર હતી. જે લોકોને આંધળા બનાવી દે છે. મને ઘણી પ્રશંસા મળી છે. લાખો લોકોએ મારાથી પ્રેરણા લીધી છે. (Photo Credit- @nehamehtaofficial/Instagram)
તેણે વધુમાં કહ્યું કે, અહીંનો નિયમ છે કે, આપને જે કરવું છે તે કરો નહીં તો છોડી દો. એક પોઇન્ટ આવ્યો જ્યાં મને લાગે છે કે, મારે અટકવું જોઇએ. એક શો ટીમ વર્ક છે. અને દરેક તેમાં યોગદાન ઇચ્છે છે. હું અભિનયનાં ક્ષેત્રમાં સન્માન અને પ્રતિષ્ઠા ધરાવું છું. કારણ કે તારક મહેતા.. પહેલાં પણ હું મનોરંજનની દુનિયામાં ઘણું કામ કરી ચૂકી છું. (Photo Credit- @nehamehtaofficial/Instagram)