એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને આ સમયે ઓપરેશન દ્વારા ગળામાંથી 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાનાં દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડોક્ટર્સે જણાવ્યું હતું.
તેમને ગત સ્પટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન દરમિયાન તેમને આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી છે. ત્રણ મહિનાથી સતત કેન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી જે બાદ હવે તેઓ સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. નવ મહિનાનાં લાંબ અંતરાલ બાદ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે શોનું શૂટિંગ કર્યુ છે અને શૂટિંગ બાદ તેમમે તેમનો અનુભવ પણ શેર કર્યો છે.