એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રીનનાં લોકપ્રિય શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટૂ કાકા (Nattu Kaka)નો કિરદાર અદા કરનારા એક્ટર ધનશ્યામ નાયક (Ghanshyam Nayak) કેન્સરથી લડી રહ્યાં છે. 77 વર્ષની ઉંમરમાં પણ દર્શકોનું મનોરંજન કરતાં રહેતા એખ્ટર ધનશ્યામ નાયકને ગળા પર કંઇક ડાઘા દેખાયા હતાં જે બાદ તેમણે ડોક્ટર્સને જણાવ્યું. આ વર્ષે એપ્રિલમાં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું. જે બાદથી ફેન્સ તેમનાં માટે દુઆ કરી રહ્યાં છે.
ધનશ્યામ નાયક (Ghanashyam Nayak)નાં પરિવારે કીમોથૈરપી સેશન્સ શરૂ કરવામાં આવે છે. અને ફેન્સ પણ ઇચ્છે છે કે, સૌનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka) જલ્દી જ સ્વસ્થ થઇ ફરી એક વખત સૌની વચ્ચે પરત આવશે. જોકે, આ વચ્ચે પણ ખબર છે કે, નટૂ કાકા (Nattu Kaka)એ તેની અંતિમ ઇચ્છા જાહેર કરી છે. જ્યાં તેમણે જણાવ્યું કે જો તેમનું નિધન થાય તો તેઓ મેકઅપ સાથે જ મરવાં ઇચ્છે છે
ઇન્સ્ટંટ બોલિવૂડની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)એ તેમની અંતિમ ઇચ્છા જાહેર કરી છે. પોસ્ટ મુજબ ફેન્સનાં ચહેતા નટુ કાકા (Nattu Kaka)એ કહ્યું કે, તેઓ તેમની અંતિમ શ્વાસ સુધી કામ કરવાં ઇચ્છે છે. આપને જણાવી દઇએ કે, ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak) ગત ઘણાં વર્ષોથી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)ની સાથે જોડાયેલાં છે. અને દર્શકોનું મનોરંજન કરે છે.
આપને જણાવી દઇએ કે, ગત વર્ષે ઘનશ્યામ નાયકે (Ghanashyam Nayak) ગળાનું ઓપરેશન કરાવ્યું હતું. જેમાં 8 ગાંઠ કાઢવામાં આવી હતી. સતત ટ્રીટમેન્ટ બાદ તેમની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. આ મુશ્કેલ સમયમાં પણ તેમણે ગુજરાતનાં દમણમાં શોનું શૂટિંગ કર્યું હતું. ધનશ્યામ (Ghanshyam Nayak) આવનારા એપિસોડમાં મુંબઇમાં થનારી શૂટિંગ અંગે એક્સાઇટેડ છે.