સોનાલી ફોગાટ હત્યા કેસ સાથે જોડાયેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગોવા પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટના મૃત્યુનું ષડયંત્ર ઘડ્યું હતું. ગોવા પોલીસના સૂત્રોએ દાવો કર્યો છે કે સુધીર સાંગવાને કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન સોનાલી ફોગાટને ગુડગાંવથી ગોવા લાવવાના કાવતરાની કબૂલાત કરી છે. પોલીસે જણાવ્યું કે, ગોવામાં કોઈ શૂટિંગ નહોતું થવાનું, ગોવા લાવવાનું કાવતરું હતું.
ગોવા પોલીસના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સોનાલી ફોગાટની હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડવામાં આવ્યું હતું. આ દરમિયાન સીએમ પ્રમોદ સાવંતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગોવા પોલીસે પુષ્ટિ કરી છે કે તમામ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે અને આ હત્યા કેસમાં સુધીર સાંગવાનને દોષિત ઠેરવવા માટે પૂરતા છે.
રિપોર્ટ્સના અનુસાર, આજે આરોપી સુધીર સાંગવાનના રોહતક સ્થિત ઘરે પણ જઈ શકે છે. આ દરમિયાન સુધીર સાંગવાનના પરિવારની પણ પૂછપરછ થઈ શકે છે. આ સિવાય સુધીરના ઘરની પણ તલાશી લેવામાં આવી શકે છે. સોનાલી ફોગટના ભાઈઓ વતન ઢાકા અને રિંકુ ઢાકાએ જણાવ્યું કે તેઓએ ગોવા પોલીસ સાથે વાત કરી છે અને તેઓએ માહિતી આપી છે કે તેઓ આજે રોહતકમાં સુધીર સાંગવાનના ઘરે પૂછપરછ માટે જશે.