Home » photogallery » મનોરંજન » સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

Shocking Facts of Sanjay Dutt Film Naam: આજથી લગભગ 37 વર્ષ પહેલા સલીમ ખાન (Salim Khan)એ એક ફિલ્મની કહાણી લખી હતી, તે પણ જાવેદ અખ્તરથી અલગ થઇને. આ એક જાદુભરી કહાણી હતી અને ફિલ્મનું નામ હતું ‘નામ (Naam)’. આ ફિલ્મે સંજય દત્તની જૂબતી કારકિર્દીને બચાવી લીધી હતી.

  • 15

    સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

    નવી દિલ્હી: વર્ષ 1986માં એક ફિલ્મ આવી હતી જેનુ નામ હતું ‘નામ (Naam)’. આ ફિલ્મમાં સંજય દત્ત (Sanjay Dutt) અને કુમાર ગૌરવ (Kumar Gaurav મુખ્ય રોલમાં હતા અને આ ફિલ્મ સંજય દત્ત માટે કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ હતી. આજે અમે તમને આ ફિલ્મ વિશે જોડાયેલા કેટલાક એવા ફેક્ટ જણાવીશું, જેના વિશે જાણી તમે દંગ રહી જશો.

    MORE
    GALLERIES

  • 25

    સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

    સૌથી પહેલા વાત કરીએ આ ફિલ્મના રાઇટર સલીમ ખાનની. 70વા દાયકામાં સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ એકથી એક બ્લોકબ્સટર ફિલ્મો લખી હતી પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 1982માં ઇગો પ્લોબ્લમના કારણે આ જોડી તૂટી ગઇ હતી અને વર્ષ 1986માં આવેલી ફિલ્મ નામ સલીમ ખાનની પ્રથમ ઇંડિપેન્ડેંટ ફિલ્મ હતી.

    MORE
    GALLERIES

  • 35

    સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

    જાવેદ અખ્તરથી અલગ થયા બાદ નામ ફિલ્મ સલીમન ખાનની પ્રથમ એકલા હાથે તૈયાર કરેલી ફિલ્મ હતી. જેમાં સલીમની કહાણીએ ધમાલ મચાવી દીધી હતી. ત્યાં જ વાત કરીએ સંજય દત્તની તો તેમની પ્રથમ ફિલ્મ રોકી બાદ તેમણે અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમનો કોઇ જાદુ ચાલ્યો નહતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ દરમિયાન તેમને ડ્રગ્લ લેવાની લત લાગી ગઇ હતી અને ફિલ્મ નામ કરતા પહેલા તે રિહૈબ સેન્ટરથી પરત ફર્યો હતો.

    MORE
    GALLERIES

  • 45

    સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

    ફિલ્મ નામમાં કામ કર્યા બાદ જ સંજય દત્તની કિસ્મત ચમકી ગઇ હતી પરંતુ તેનો શ્રેય મહદઅંશે તેના જીજાજી કુમાર ગૌરવને જાય છે. કહેવામાં આવે છે કે, દિગ્ગજ અભિનેતા રાજેન્દ્ર કુમાર કુમાર ગૌરવના કરિયરને લઇ ખુબ જ પરેશાન હતા અને તેમણે ફિલ્મ નામને પ્રોડ્યૂસ પોતાના દીકરાના કરિયરને સવારવા માટે કર્યું હતી. પરંતુ કુમાર ગૌરવ ઇચ્છતો હતો કે ફિલ્મમાં તેની ભૂમિકા તેનો સાળો સંજય દત્ત ભજવે અને તેવું જ થયું...

    MORE
    GALLERIES

  • 55

    સલીમ ખાને લખી એવી કહાણી કે લોકો થિયેટરમાં બેસીને રડ્યા, સંજય દત્ત માટે જીજાજીએ આપ્યું બલિદાન

    ખરેખરમાં સંજય દત્ત ફિલ્મમાં જે ભૂમિકામાં હતો તે કુમાર ગૌરવ માટે લખવામાં આવી હતી. પરંતુ કુમાર ગૌરવે પોતાની ભૂમિકા સંજય દત્તને આપી દીધી હતી. ફિલ્મ રિલીઝ થઇ તો બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ. બે ભાઇઓની ભાવુક કરતી સલીમ ખાનની આ કહાણી લોકોને ખુબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મ બાદ કુમાર ગૌરવને તે ઉપલબ્ધિ મળી શકી નહી જેનો તે હકદાર હતો.

    MORE
    GALLERIES