Home » photogallery » મનોરંજન » રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

અફવા ઉડી રહી છે કે, રણબીર કપૂર, નીતૂ કપૂર અને કરણ જોહરને પણ કોરોનાનું સંક્રમણ થયું છે.

विज्ञापन

  • 15

    રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

    મુંબઈ : બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. જે બાદ સોશિયલ મીડિયામાં જાણે હડકંપ મચી ગયો છે. આ દરમિયાન અફવા ઉડી રહી છે કે, રણબીર કપૂર, નીતૂ કપૂર અને કરણ જોહરને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. વાતો તો એ પણ થઇ રહી છે કે, નીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી અગત્સ્યા નંદા પણ હાજર હતા. આ કારણે આ ત્રણેવને કોરોના થયો છે. પરંતુ તમને જણાવીએ કે આ ખબર થોડી પણ સાચી નથી. નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

    MORE
    GALLERIES

  • 25

    રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

    રિદ્ધિમાએ લખ્યું છે કે, તમે અટેન્શન મેળવવા માંગો છો? તમારૂ એકાઉન્ટ વેરિફાઇ પણ નથી, ન તમને કોઇ સાચ્ચી વાતની જાણ છે. અમે તમામ લોકો સ્વસ્થ અને ફિટ પણ છીએ. અફવાઓ ફેલાવવાનું બંધ કરો. થેન્ક યૂ.

    MORE
    GALLERIES

  • 35

    રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

    નોંધનીય છે કે, બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોતાના રિપોર્ટ અંગે બીગ-બી એ પોતે જ ટ્વિટ દ્વારા માહિતી આપી છે.

    MORE
    GALLERIES

  • 45

    રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત

    અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે, મારો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ કરાયા છે. 'છેલ્લા દસ દિવસમાં જેઓ મારા તેમજ પરિવારના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો એવી વિનંતી' લક્ષણો દેખાતાં જ તેમણે તુરંત ટેસ્ટ કરાવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    રણબીર કપૂર, નીતિ કપૂર અને કરણ જોહરને પણ થયો કોરોના? ઋષિ કપૂરની દીકરીએ જણાવી હકીકત


    જો કે અમિતાભ બચ્ચનની વય 77 વર્ષની છે. છતાં પોઝિટિવ ટેસ્ટ બાદ પણ તેમની તબિયત સારી હોવાનું જણાયું છે. આથી ડોક્ટરોએ પણ એવી આશા વ્યક્ત કરી છે કે અભિનેતા જલ્દી જ સાજા થઈને ઘરે પાછા ફરશે. દરમ્યાન આ સમાચાર ફેલાતાં જ બોલીવૂડ જગત તેમજ અમિતાભ બચ્ચનના ચાહકોમાં ખળભળાટ મચી ગયો હોઈ ટ્વિટ પર અભિનેતાને સૌએ સાંત્વના અને જલ્દી સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી છે.

    MORE
    GALLERIES