Home » photogallery » મનોરંજન » તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

telugu superstar Chiranjeevi tests positive for covid 19: તેલુગૂ સુપરસ્ટાર અને રાજકારીણી ચિરંજીવી કોરોના પોઝિટિવ આવ્યાં છે. તેમની અપકમિંગ ફિલ્મની શૂટિંગ પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટિવ આવ્યાં બાદ ચિરંજીવીએ પોતાને હોમ ક્વૉરન્ટિન કરી લીધા છે.

  • 13

    તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તેલુગૂ સિનેમાનાં મશહૂર એક્ટર અને પોલિટિશિયન ચિરંજીવી (Chiranjeevi) કોરોના પોઝિટિવ (Corona virus) આવ્યાં છે. હાલમાં જ થયેલાં ટેસ્ટમાં તેમનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિરંજીવીએ આ સૂચના તેનાં ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક મેસેજ શેર કરીને કરી છે.

    MORE
    GALLERIES

  • 23

    તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

    સુપરસ્ટાર ચિરંજીવીએ તેની પોસ્ટમાં લખ્યું છે, 'ફિલ્મ આચાર્યનાં શૂટિંગ પહેલાં પ્રોટોકોલ હેઠળ મને કોવિડ ટેસ્ટ કરાવ્યો જેમાં દુર્ભાગ્યથી હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મારી અંદર કોરોનાનાં કોઇ લક્ષણ ન હતાં. મે પોતાની જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી લીધો છે. ગત 5 દિવસમાં મને જે પણ લોકો મળ્યાં છે તે તમામને અપીલ છે કે તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. જલ્દી જ મારા ઠીક થવાની સૂચના આપીશ.'

    MORE
    GALLERIES

  • 33

    તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

    આપને જણાવી દઇએ કે, તેલુગૂ ઉપરાંત કન્નડ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે, તેમણે 1978માં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ગત વખતે ચિરંજીવી સુપરહિટ ફિલ્મ 'સે રા નરસિમ્હા રેડ્ડી'માં નજર આવ્યાં હતાં. જેમાં અમિતાભ બચ્ચન પણ નાનકડી ભૂમિકા અદા કરી છે. હવે તેમની ફિલ્મ 'આચાર્ય'ની શૂટિંગ ચાલી રહી છે.

    MORE
    GALLERIES