Home » photogallery » મનોરંજન » ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

'ખાલી સંપર્ક તૂટ્યો છે, સંકલ્પ નહીં', ચંદ્રાયાન 2 પર બોલીવૂડના જાણીતા સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

  • 16

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    ચંદ્રાયાન 2 (Chandrayaan 2), ચંદ્ર પર સફળ રીતે લેન્ડ થવાનું જ હતું અને ભારતીય વૈજ્ઞાનિકોએ લેન્ડર સાથે સંપર્ક ગુમાવ્યો. ઉલ્લેખનીય છે કે ચંદ્રાયાન 2 ને લઇને નાના મોટા તમામ લોકોમાં ભારે ઉત્સુકતા હતી. અને અનેક લોકો મોડી રાત સુધી આ પરીક્ષણને નજરે જોવા જાગ્યા પણ હતા. તમામ લોકોની નજર આ પરીક્ષણની સફળતા પર હતી. અને બોલિવૂડ પણ તેમાંથી બાકાત નહતું. જો કે લેન્ડર વિક્રમથી સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકો મુશ્કેલમાં મૂકાયા હતા. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ વૈજ્ઞાનિકોની હિંમત વધારી હતી. જો કે ચંદ્રયાન 2 ના લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટવાથી સોશિયલ મીડિયામાં પણ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને બોલીવૂડે પણ આ પ્રસંગે ઇસરોની પીઠ થપથપાવી હતી.

    MORE
    GALLERIES

  • 26

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    ફિલ્મ 'મિશન મંગલ'માં એક ઇસરો વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવનાર અક્ષય કુમારે આ પ્રસંગે ટ્વિટ કરીને ફિલ્મનો એક ડાયલોગ મૂક્યો હતો કે પ્રયોગ વિના વિજ્ઞાન નથી. સાથે જ તેમણે ઇસરોને સંબોધિ કહ્યું કે અમને તમારા માટે માન છે અને તે વાતની પણ ખબર છે કે તમે જલ્દી જ ચંદ્રયાન 3 બનાવશો.

    MORE
    GALLERIES

  • 36

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    અમિતાભ બચ્ચને આ પ્રસંગે પિતા ડૉ.હરિવંશરાય બચ્ચનની કવિતા લખી કહ્યું કે "તૂ ના થકે ગા કભી, તૂ ના મૂડે ગા કભી...કર શપથ...અગ્નિપથ અગ્નિપથ..."

    MORE
    GALLERIES

  • 46

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    લતા મંગેશકરે પણ આ પ્રસંગે ટ્વિટ કરીને લખ્યું કે ખાલી સંપર્ક તૂટ્યો છે, સંકલ્પ નહીં. મનોબળ હજી પણ મજબૂત છે. અને મને વિશ્વાસ છે કે સફળતા આપણને મળશે. બસ તમે આગળ વધતા રહો.

    MORE
    GALLERIES

  • 56

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    શાહરૂખ ખાને આ પ્રસંગે ટ્વિટ કરીને લખ્યું "ક્યારેક આપણે યોગ્ય સ્થાન પર નથી પહોંચી શકતા પણ મહત્વની વાત એ છે કે આપણે આશા અને વિશ્વાસ બનાવી રાખવો જોઇએ. ઇસરો અમને તમારી પર ગર્વ છે."

    MORE
    GALLERIES

  • 66

    ચંદ્રાયાન 2 સાથે સંપર્ક તૂટતા અમિતાભથી લઇને અક્ષયે કહી આ વાત

    રિતેશ દેશમુખે પણ લખ્યું કે આપણે જલ્દી જ આમાંથી બહાર આવીશું. ભવિષ્ય તેમનું જ થાય છે જેમને પોતાના સપનામાં વિશ્વાસ હોય. આપણે હાલ જે જીત મેળવી છે તે પણ નાની નથી.

    MORE
    GALLERIES