છેલ્લા કેટલાક વર્ષોમાં બોલીવુડે દિલીપ કુમાર, ઋષિ કપૂર, ઈરફાન ખાન, શ્રીદેવી (sridevi), સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput), લતા મંગેશકર (lata mangeshkar), જગદીપ, સરોજ ખાન અને સિદ્ધાર્થ શુક્લા (sidharth shukla)સહિત ઘણા મોટા સ્ટાર્સ (Bollywood Stars)ને ગુમાવ્યા છે. તેમાંથી ઋષિ કપૂર, ઈરફાન ખાન (irrfan khan), શ્રીદેવી, સુશાંત સિંહ રાજપૂત અને સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ હતું. આ સેલેબ્સના ફેન્સ હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તેઓ હવે આ દુનિયામાં નથી. ત્યારે આજે અમે તમને એવા જ કેટલાક બોલિવૂડ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે કાં તો ઈચ્છા અનુસાર તેમની મિલકત દાન (Bollywood Stars Whose Properties Were Donated After Their Death) કરવાનો નિર્ણય લીધો અથવા મૃત્યુ પછી તેમના પરિવારના સભ્યોએ તેમની સંપત્તિનો અમુક ભાગ દાનમાં આપી દીધો હતો.
શ્રીદેવી (sridevi)- દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઇમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવીના મૃત્યુ બાદ તેમના પતિ બોની કપૂરે તેમની અડધી સંપત્તિ ચેરિટીમાં દાન કરી દીધી હતી. આ સમય દરમિયાન તે પૈસાથી મહારાષ્ટ્રના એક ગામમાં એક શાળા બનાવાઇ હતી. જ્યાં બાળકોને મફત શિક્ષણ મળે છે.
સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput) - બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020 ના રોજ અવસાન થયું. સુશાંતની આત્મહત્યાથી તેના પ્રિયજનોને ઘેરો આઘાત લાગ્યો હતો. તે ઘણીવાર ચેરિટી કરતો હતો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના પરિવારે તેના મૃત્યુ પછી તેની તમામ સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.