એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: BMCએ રવિવારનાં તેનાં મુંબઇવાળા ફ્લેટ પર નોટિસ જારી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કંગના રનૌટનાં ખાર વાળા ફ્લેટ જ્યાં કંગના રહે છે ત્યાં ગેરકાયદે નિર્માણનો આરોપ આ નોટિસમાં લગાવવામાં આવ્યો છએ. નોટિસ મુજબ, BMCનો આરોપ છએ કે, કંગનાનાં ઘમાં તેનાં ઓફિસથી વધુ નિયમોનું ઉલ્લંઘન કરતાં ગેરકાયદે નિર્માણ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઇએ કે, રવિવારે કંગનાએ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીથી મુંબઇમાં રાજભવનમાં મુલાકાત કરી હતી. જાણકારી મુજબ, 14 સ્પટેમ્બરનાં કંગનાએ શહેરથી બહાર જવાનું છે. કંગનાની રાજ્યપાલથી મુલાકાત તે સમયે થઇ હતી જ્યારે તેમની શિવસેના અને મહારાષ્ટ્ર સરકારથી અનબન થઇ છે. કંગનાએ રાજ્યપાલની સામે BMC દ્વારા તોડવામાં આવેલી તેની ઓફિસ અંગે વાત કરી છે.
મુલાકાત બાદ કંગનાએ કહ્યું કે, મે રાજ્યપાલની મુલાકાત કરી તી, મારી સાથે જે પણ અન્યાય થયુ છે. મે તે અંગે વાત કરી છે. મને આશા છે કે, મને ન્યાય મળશે. હું સૌભાગ્યશાળી છુ કે, તેમણે મને એક દીકરીની જેમ સાંભળી, કંગનાને પુછવામાં આવતાં કહ્યું કે, તેનાં પર કંગનાની ટીમે કહ્યું કે, 'સુરક્ષા પ્રોટોકોલ માટે અમે તેમની યાત્રા અંગે વધુ ખુલાસા કરી શકતા નથી.'