

બાળકને મેળવવા માંગતા બાળકો માટે આઇવીએફ ક્લિનિકમાં આવતી સ્ત્રીઓ સાથે રચાયેલ મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. સ્ત્રીઓ સાથે છેતરપિંડી કરીને ડૉક્ટર ઓછામાં ઓછા 49 બાળકોનો પિતા બન્યો. લોકપ્રિય ડોકટર આઇવીએફ ક્લિનિક ચલાવતો હતો.


આ મામલો નેધરલેન્ડ્સના રોટરડેમનો છે. ડીએનએ પરીક્ષણમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે ડોકટરે ઓછામાં ઓછા 49 મહિલાઓની ગર્ભાવસ્થા માટે તેના શુક્રાણુનો ઉપયોગ કર્યો, જો કે આ સંખ્યા વધી શકે છે.


2017માં જન-કરબાતનું મોત થયું હતું. કોર્ટે આદેશ આપ્યો છે કે માતાપિતાને ડૉક્ટરના ડીએનએ પરીક્ષણનું પરિણામ આપવામાં આવે. ડોકટરે શુક્રાણુની જગ્યાએ પોતાના શુક્રાણુનો ઉપયોગ કર્યો.


ડિફેન્સ ફોર ચિલ્ડ્રન નામની સંસ્થાએ જણાવ્યું છે કે ડૉક્ટરના ડીએનએથી 49 બાળકોના ડીએનએ મેચ થયા. જેની તપાસમાં કરવામાં આવી હતી. ડૉક્ટરનું ક્લિનિક હવે બંધ થઇ ચુક્યું છે.


89 વર્ષની ઉંમરે મૃત્યુ પહેલા ડૉકટરે કથિતપણે સ્વીકાર કર્યો હતો કે તે અત્યાર સુધી 60 બાળકોનો પિતા બન્યો છે. 2009માં ક્લિનિક પર અનિયમિતતાના આક્ષેપો થયા હતા અને ફરી બંધ કરવામાં આવ્યું હતુ.