Home » photogallery » dharm-bhakti » ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના મધ્યમાં આવેલ ૐકારનાથ વિષ્ણુ ભગવાન ત્રણ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. લોક માન્યતા અનુસાર, ભગવાન મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે નદી પાંચ માઇલ ખસી ગઇ હતી.

  • Local18
  • |
  • | Bharuch, India

  • 18

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    Aarti Machhi, Bharuch : પૌરાણિક કાળમાં ઋષિમૂનિઓ નર્મદાના કિનારે શુકલતીર્થ ખાતે તપ કરતા હતા. તે સમયે રેવામાં પુર આવવાથી ઋષિમૂનિઓના સભ્યો અને તેની માલ મિલકત તણાઈ જતા હતાં. જેથી ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાને લઈને ભગવાન પ્રસન્ન થયા અને ૐ કાર શબ્દથી સ્વયંભુ કારતક સુદ પુનમના દિવસે ભગવાનની રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી પાંચ માઈલ આગળ ખસી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 28

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    સ્વયંભુ પ્રગટ થયેલા ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શંખ, ચક્ર, ગદા, વેદવ્યાસ, રાધિકા,ગૌસ્વામી, લક્ષ્મીજી, શેષનાગ, જય–વિજય, ભૃગુ લાંછન, શ્રી લાંછન પણ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 38

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    ભગવાન વિષ્ણુ ૐકારનાથ મંદિર ખાતે ત્રણ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. ભગવાન શ્રી હરિ સવારે બાળક અવસ્થામાં, બપોરે યુવા અવસ્થા તેમજ સાંજે વૃદ્ધ અવસ્થામાં ભક્તોને દર્શન આપે છે. આજે પણ આ મૂર્તિમાં ત્રણ અવસ્થામાં ભગવાન દર્શન આપતા હોવાની માન્યતા છે.

    MORE
    GALLERIES

  • 48

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    દર કારતક સુદ પુનમના રોજ ભગવાન વિષ્ણુનો જન્મ દિવસ હોવાથી શુકલતીર્થમાં ભવ્ય ભાતીગળ મેળો યોજાય છે. જે દેશ-વિદેશથી લાખો ભક્તો મેળો મ્હાલવા અને ૐકારનાથ વિષ્ણુ ભગવાનના દર્શન માટે ઘોડાપૂર ઉમટે છે.

    MORE
    GALLERIES

  • 58

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    મહંમદ બેગડા દ્વારા શુકલતીર્થમાં આવેલ અન્ય મંદિરો તેમજ કડોદના કોટેશ્વર મહાદેવના શિવલીંગને નષ્ટ કર્યું હતું. જ્યારે ૐકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરમાં જ ભોંયરું હોવાથી આક્રમણ સમયે ભગવાનને ગુપ્ત ભોંયરામાં છુપાવી દેવામાં આવતા હતા.

    MORE
    GALLERIES

  • 68

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    પહેલાના સમયમાં ૐકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરે નર્મદા નદીના સામે કાંઠાના આદિવાસી સમાજના લોકો તાંબાના સિક્કાનું ચલણ ચલાવતા હતા. તે સમયે તાંબાના સિક્કા લઈને ભગવાન વિષ્ણુને ઓકીમાં (ઓમકારનાથ) કહીને સિક્કા અર્પણ કરતા હતા અને મેળામાં મ્હાલીને, ત્યાર બાદ સગપણ સાથે લગ્ન પ્રસંગની શરૂઆત કરતા હોવાનું જાણવા મળ્યું છે.

    MORE
    GALLERIES

  • 78

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    Aarti Machhi, Bharuch : પૌરાણિક કાળમાં ઋષિમૂનિઓ નર્મદાના કિનારે શુકલતીર્થ ખાતે તપ કરતા હતા. તે સમયે રેવામાં પુર આવવાથી ઋષિમૂનિઓના સભ્યો અને તેની માલ મિલકત તણાઈ જતા હતાં. જેથી ઋષિમુનિઓ ભગવાનને પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાને લઈને ભગવાન પ્રસન્ન થયા અને ૐ કાર શબ્દથી સ્વયંભુ કારતક સુદ પુનમના દિવસે ભગવાનની રેતીની મૂર્તિ પ્રગટ થતાં નદી પાંચ માઈલ આગળ ખસી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 88

    ભગવાન પ્રસન્ન થતા 8 કિમી નદી ખસી ગઈ, અહીં એક દિવસમાં ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે ભગવાન વિષ્ણુ

    ૐકારનાથ વિષ્ણુ ભગવાનના મંદિરની બાજુમાં ગુપ્ત ભોંયરું પણ આવેલું છે. કહેવાય છે કે, મહંમદ બેગડો વર્ષો પહેલા આક્રમણ સાથે લૂંટ કરવા આવ્યો હતો. તે સમયે મંદિરના મહંતો ભગવાનની મૂર્તિને ભોંયરામાં ઉતારી દેતા હતા. જેથી મૂર્તિ ખંડિત થતા રહી ગઈ છે.

    MORE
    GALLERIES