કાળો દોરો ન ફક્ત તમને ખરાબ શક્તિઓ કે ખરાબ નજરથી બચાવે છે. પણ તે શનિ ગ્રહને મજબૂત કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાં એવી 2 રાશિ છે જેમનાં માટે કાળો દોરો અનુકૂળ માનવામાં આવતો નથી. આ બંને રાશીઓમાં એક રાશિ છે મેષ અને એક છે વૃશ્ચિક. કારણ છે આ બંને રાશિઓનો અધિપતિ ગ્રહ એટલે કે સ્વામી ગ્રહ મંગળ છે. અને મંગળને કાળો રંગ પસંદ નથી. મંગળને લાલ રંગ પસંદ છે. મંગળનો રંગ પણ લાલ છે. તે સેના, ભૂમિ, યુદ્ધ અને સૈન્ય શક્તિનો કારક ગ્રહ છે.