Home » photogallery » dharm-bhakti » ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે.

  • 110

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    પૂર્વજ પોતાની આવનારી પેઢીને ધ્યાનમાં રાખી ઘણા કાર્ય કરે છે. તેમની બદોલત કોઈને ઘર નસીબ થાય છે, તો કોઈને જમીન-જાયદાદ. તેમના કર્જને ઉતારવા માટે સનાતન ધર્મમાં પિતૃપક્ષનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આ વખતે પિતૃપક્ષ 24 સપ્ટેમ્બરથી શરૂ થયું છે, જે  8 ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ-દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 210

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું વિધાન છે. જો તમે પિતૃઓના કોપનો ભોગ બનવા ના માંગતા હોવ તો, જાણો પિતૃપક્ષ દરમ્યાન કઈ-કઈ સાવધાની રાખવી જરૂરી છે.

    MORE
    GALLERIES

  • 310

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    જે પૂર્વજોના નામ તમને યાદ નથીનું તર્પણ તમે સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા (પિતૃપક્ષનો છેલ્લો દિવસ)ના દિવસે કરી શકો છો. વિશેષ કૃપા માટે લોકો પિતૃપક્ષ દરમ્યાન રોજ બ્રાહ્મણને ભોજન કરાવે છે.

    MORE
    GALLERIES

  • 410

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    સૌથી પહેલા વાત એ છે કે, પિતૃપક્ષ દરમ્યાન તમારા દ્વાર પર કોઈ મહેમાન આવ્યો છે તો કોઈ પણ સંજોગોમાં તેનો અનાદર ના કરો. કારણ કે, માનવામાં આવે છે કે, આ દરમ્યાન પૂર્વજ કોઈ પણ રૂપ ધારણ કરીને તમારા ઘરે ઉભા થઈ શકે છે. જેથી આ દરમ્યાન કોઈ પણ ભિક્ષુક, અતિથિ અથવા કોઈ પણ આગંતુકનો અનાદર ના કરો.

    MORE
    GALLERIES

  • 510

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    પિતૃપક્ષ દરમ્યાન તમારે દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમ્યાન તમારે પશુ-પક્ષીને પમ ભોજન અને જળ આપવું જોઈએ. કોઈ પણ જીવને ધુત્કારવું કે પરેશાન ના કરો, આનાથી તમારા પૂર્વજ નારાજ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 610

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    ગાયને સનાતન ધર્મમાં મા માનવામાં આવે છે, જેથી પિતૃપક્ષ દરમ્યાન ગાય અને બ્રાહ્મણનું અપમાન તમારા પૂર્વજને ક્રોધિત કરી શકે છે, જેથી ગાયને ના તો પરેશાન કરો અને ના તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડો.

    MORE
    GALLERIES

  • 710

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    પિતૃપક્ષ દરમ્યાન તમારે તાજુ ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. વાસી ખાવાનું ના આપવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 810

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    ઝાડ-પાનમાં પણ જીવ હોય છે, જેથી પિતૃપક્ષ દરમ્યાન તમારે તેને કાપવાનું અથવા તેને નુકશાન પહોંચાડવાથી બચવું જોઈએ. આનાથી નારાજ થઈ પિતૃ ક્રોધમાં આવી શ્રાપ પણ આપી શકે છે.

    MORE
    GALLERIES

  • 910

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    કાળા તલના પ્રયોગથી જ શ્રાદ્ધ કે તર્પણ કરો. શાસ્ત્રો અનુસાર કાળા તલને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમ્યાન મદ્યાહન સમયે જ બ્રાહ્મણને ભોજન કરાવો.

    MORE
    GALLERIES

  • 1010

    ચાલી રહ્યો છે પિતૃપક્ષ 'શ્રાદ્ધ', ભૂલમાં પણ આ 7 કામ ન કરવા

    આ દરમ્યાન નવા કપડા પહેરવા અને ખરીદવા ના જોઈએ. આવું કરવાથી પણ તમે પિતૃદોષના ભાગીદાર બની શકો છો. જૂઠુ બોલવું, કોઈનું ખરાબ ઈચ્છવું કે કરવું જેવા અનૈતિક કામ પણ આ દરમ્યાન ના કરો તો, તમને પિતૃઓનો આશિર્વાદ મળશે.

    MORE
    GALLERIES