શ્રી કલ્લાજી વૈદિક યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા ડો.મૃત્યુંજય તિવારી કહે છે કે, 10 એપ્રિલના સૂર્યગ્રહણની ત્રણ રાશિઓ પર સકારાત્મક અસર પડવાની છે. વૃષભ, મિથુન અને ધન રાશિનું ભાગ્ય ખીલશે. તેમના કેરિયરમાં પ્રગતિ થશે, તેમને વાદવિવાદમાં સફળતા મળશે, ધન પ્રાપ્તિની સંભાવના રહેશે અને સ્વાસ્થ્ય સારુ રહેશે. અહીં સૂર્યગ્રહણથી વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકોને થતા ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.
વૃષભઃ સૂર્યગ્રહણની સકારાત્મક અસરને કારણે તમારી સેલેરી વધી શકે છે અથવા તો વર્તમાન નોકરીમાં જ ઊંચું પદ પ્રાપ્ત થઈ શકે છે. નવી નોકરીની શોધમાં રહેલા જાતકોને સફળતા મળશે. નવી ઓફરથી પ્રગતિનો માર્ગ મોકળો થશે. આવકમાં વધારો થવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. પહેલા કરતા વધારે બચત કરી શકશો. સૂર્યગ્રહણ તમારા જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે.
મિથુન : આ રાશિના જાતકોને પણ સૂર્યગ્રહણનો સકારાત્મક લાભ મળશે. અચાનક ધનલાભની શક્યતા છે. તમારા જૂના અટકેલા પૈસા પાછા મળી શકે છે. આનાથી તમે ખુશ રહેશો. નવા યુગલોને સંતાનપ્રાપ્તિની શક્યતા છે. કોર્ટમાં ફસાયેલા જાતકોએ ચિંતા કરવી નહીં. સૂર્યના પ્રભાવને કારણે તમને સફળતા મળી શકે છે. નિર્ણય તમારી તરફેણમાં હોઈ શકે છે, જે રાહત આપશે. રાજકારણમાં રહેલા જાતકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે.