Home » photogallery » dharm-bhakti » નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

સિહોર તાલુકામા સિહોર માતાજીનું મંદિર આવેલું છે. જાની પરિવારનાં કુળદેવી છે. મંદિર સાથે અનેક માન્યતાઓ સાથે જોડાયેલી છે. તેમજ લગ્ન બાદ વરઘોડિયા અહીં છેડાછેડી છોડવા આવે છે.

  • Local18
  • |
  • | Bhavnagar, India

  • 18

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    Dhruvik gondaliya, Bhavnagar: ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકામાં ટેકરા ઉપર સિહોર માતાજીનું મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરના પ્રાંગણમાંથી દેખાતી સિહોરનગરની સૌંદર્યતા જોઈને આંખને ટાઢક થાય છે. બ્રાહ્મણ જ્ઞાતિમાં જાની પરિવાર સિહોરી માતાને કુળદેવી તરીકે પુજે છે. સિહોર માતાના મંદિર સાથે જુદી જુદી માન્યતાઓ સાંભળવા મળે છે. જણાવી દઈએ કે, અહીં લગ્ન બાદ વરઘોડિયા છેડાછેડી છોડવા આવે છે.

    MORE
    GALLERIES

  • 28

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    ગોહિલવાડના ગોહિલો મારવાડથી આવ્યા ત્યારે, તેઓ મારુ રાજા કહેવાયા અને આ મારુ દેવી તેમના કુળદેવી હશે તેવો સંદર્ભ મળે છે. જૈન વિદ્વાનોના મત પ્રમાણે ઋષણ દેવીની માતાનું નામ મારુ દેવી હતું. તેમના સ્મણાર્થે ડેરી પણ બનાવાઈ હતી. જણાવી દઈએ કે, મહારાજા તખ્તસિંહજીએ આ મંદિર બંધાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 38

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    ત્યારે ત્યાંથી જૂના ખોદ કામમાં મળેલા પથ્થરમાં પણ મારુ દેવી જેવું નામ વાંચવા મળ્યું હતું, જ્યારે મંદિરના પૂજારીના મત પ્રમાણે સિહોરી માતા બ્રાહ્મણોના કુળદેવી છે.

    MORE
    GALLERIES

  • 48

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    ભૂતકાળમાં જ્યારે સિંહપુર નામથી સિહોર ઓખળાતું, ત્યારે તેની પ્રતિષ્ઠા થયેલી અને એ સમયે મંદિર સિંહપુરી માતા તરીકે ઓળખાતું હતું.

    MORE
    GALLERIES

  • 58

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    સિહોર નામ વિષે જાતજાતની દંતકથાઓ ચાલે છે. કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસતી હતી, તેથી તે સિંહપુર કહેવાતું. જ્યારે એક મત એવો પણ છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહવંશના રાજાઓ થઈ ગયેલા, તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું હતું.

    MORE
    GALLERIES

  • 68

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    ઇતિહાસ તો એમ પણ દર્શાવે છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહવંશના રાજાઓ થઈ ગયેલા અને તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું છે. સિહોર સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી પણ જાણીતું છે.

    MORE
    GALLERIES

  • 78

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    સિહોર માતા સાક્ષાત દેવીના સ્વરૂપ છે. આ દેવી લોકમાતા, રાજ માતા તરીકે ઓળખાય છે. બ્રાહ્મણ જાની કુટુંબ સિહોર માતાને કુળદેવી તરીકે પૂજે છે. લગ્ન બાદ વરઘોડીયાનાં છેડાછેડી અહીં છૂટે છે.

    MORE
    GALLERIES

  • 88

    નવપરણિતો છેડાછેડી છોડે છે આ જગ્યાએ, જાણો આ મંદિરનો વર્ષો જૂનો ઇતિહાસ

    બ્રાહ્મણ કુટુંબ પુત્રજન્મ થતાં તેને માતાજીને પગલે લગાડવા અચૂક આવે છે, તેમજ બાળકની કર વિધિ મંદિરે જ થાય છે. વધુમાં મંદિરમાં સિહોરી માતાના વાહનરૂપે બે સિંહ બેઠા છે. બાજુમાં ત્રિશુલ શોભે છે. ઉંચી ટેકરી પર 300 જેટલા પગથિયા છે.

    MORE
    GALLERIES