Home » photogallery » dharm-bhakti » શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

તો આજે આપણે જાણીએ શ્રાવણ માસના કયા વારે કયા ભગવાનની પુજા કરવાથી વિશેષ ફળ મળે છે.

विज्ञापन

  • 15

    શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

    શ્રાવણ મહિનાનાં દરેક વાર પ્રમાણે ઈશ આરાધનાનો વિશેષ મહિમા હોય છે. સોમવાર તો શંકર ભગવાનનો પ્રિય હોય છે ત્યારે તે દિવસે આપણે મહાદેવને રિઝવવાના અનેક પ્રયાસો કરીએ છીએ. તો આજે આપણે જાણીએ શ્રાવણ માસના કયા વારે કયા ભગવાનની પુજા કરવાથી વિશેષ ફળ મળે છે.

    MORE
    GALLERIES

  • 25

    શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

    સોમવારે શિવપૂજાની વિશિષ્ટ પદ્ધતિ અને મહત્તા જોવા મળે છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવપૂજા ચોખા (ડાંગર)થી કરવાનો વિશેષ મહિમા છે. શ્રાવણ માસના બીજા સોમવારે શિવપૂજા તલથી તેમા પણ કાળા તલથી કરવાનો વિશેષ મહિમા છે. ત્રીજા સોમવારે શિવપૂજા મગથી કરવાનો વિશેષ મહિમા છે. ચોથા સોમવારે શિવપૂજા જવથી કરવાનું ખાસ મહત્ત્વ છે. મોટે ભાગે શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે પરંતુ ક્યારેક પાંચ સોમવાર હોય છે ત્યારે પાંચમા-છેલ્લા સોમવારે સત્તુ (સાથવા)થી શિવપૂજા કરવાનું મહત્ત્વ છે.

    MORE
    GALLERIES

  • 35

    શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

    પવિત્ર શ્રાવણ માસમાં દર રવિવારે સૂર્યનું પૂજનનું મહત્ત્વ છે. સૂર્યનારાયણની ભક્તિ અને પૂજા કરવાથી માનવીને આરોગ્ય અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. શ્રાવણના દરેક મંગળવારે મંગળાગૌરી પૂજનનો મહિમા છે. જેમાં ખાસ કરીને પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે. જે પૂજાનો હેતુ સમાજમાં અને પરિવારમાં નારીને સન્માનની નજરથી જોવાનું શીખવે છે.

    MORE
    GALLERIES

  • 45

    શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

    આ માસમાં દર બુધવારે બુધ પૂજન એટલે વિષ્ણુ પૂજનનો પણ ખૂબ મહિમા છે. શ્રાવણ મહિનામાં શિવની સાથે વિષ્ણુ પુજનનું પણ મહત્વ રહેલુ છે. પવિત્ર શ્રાવણ માસના ગુરુવારે ગુરુના ગ્રહની ભક્તિ કરવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 55

    શ્રાવણ મહિનામાં વાર પ્રમાણે ધરો ભગવાનનું ધ્યાન, થશે તમામ મનોકામના પૂરી

    દર શુક્રવારે જીવંતિકા પૂજનનો મહિમા છે. સ્ત્રીઓ પોતાના સંતાનની રક્ષા-શુભ ભાવના માટે લાલ અથવા ગુલાબી વસ્ત્ર પરિધાન કરે છે. આ માસના દર શનિવારે હનુમાનજીની પૂજા-અર્ચનાનો મહિમા છે.

    MORE
    GALLERIES