Home » photogallery » dharm-bhakti » Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

શિવ ભક્તો અહી  કેદારેશ્વર મહાદેવના મંદિરે આવી પોતાની મનોકામના માને છે, મહાદેવ તેમની મનોકામના કેદારેશ્વર મહાદેવ પૂરી પણ કરે છે.

विज्ञापन

  • 15

    Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

    કેતન પટેલ, બારડોલી: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ અને જ્યોતિર્લીગ સમાન 7000 વર્ષ જૂના 'ઐતિહાસિક કેદારેશ્વર મહાદેવ' નું મંદિર શિવ ભક્તોમાં અનોખી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લો પણ શિવ મંદિરોનું ધામ હોય તેમ વિશેષ મંદિરો અહી આવેલા છે. અને જેમાંનું એક સુરત જિલ્લાના બારડોલી નજીક મીઢોળા નદીના કિનારે આવેલ 7000 વર્ષ પુરાણું  '' કેદારેશ્વર મહાદેવ'' મંદિર છે. આ પવિત્ર યાત્રા ધામની મધ્યે શિવજીનું પ્રગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હોવાનું કેહવાતું આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

    કેદારેશ્વર મંદિરના મુખ્ય માર્ગથી એપ્રોચ માર્ગ માન્યો હતો. તેનું કારણ એ પણ છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો દેહ વિલય થયો ત્યારે તેમના અસ્થી વિસર્જનને આખા દેશના પવિત્ર સ્થાનોમાં કરવામાં આવ્યા હતા અને જેમનો એક કુભ બારડોલીને પણ મળ્યો હતો. અને મંદિર પાસેથી પસાર થતી મીઢોળા નદીમાં પધરાવવા માં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

    શિવાજી પણ જ્યાં સુરત પર ચડાઈ કરવા જતાં તો અહીં ધ્વજ ચડાવીને જતા હોવાનું મનાય છે. અહીં ઐતિહાસિક રીતે પણ એટલુંજ મહત્વ મંદિર સાથે જોડાયેલું છે.

    MORE
    GALLERIES

  • 45

    Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

    આ મંદિર નિર્માણને 7000 વર્ષ પૂરનું હોવાનું કેહવાય છે અને જેને સમર્થન કરતા ચીનના પ્રવાસી 'યુ એન સંગ' ભારતના પ્રવશે નીકળ્યા હતા ત્યારે તેમના પ્રવાસની નોંધમાં કરેલ વર્ણનમાં બારડોલીના આ કેદારેશ્વર મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ હિમાલય નિવાસી સંત અભિરામ દાસ ત્યાગી એ પણ આ મંદીરના દર્શન કરતા હિમાલયના કેદારનાથના જેવી અનુભૂતિ થઇ હોવાની સાથે જ્યોતિર્લીંગ સમાન ગણાવ્યું હતું તેવું કેહવાય છે. જેથી બારડોલી પંથક સહીત ઠેક ઠેકાણેથી મોટી સંખ્યામાં પગપાળા તેમજ પોતાની સગવડે પણ અહી ભક્તો દર્શને આવે છે.

    MORE
    GALLERIES

  • 55

    Shiv Mandir: ગુજરાતમાં આવેલા 700 વર્ષ જૂના આ મંદિરમાં શિવજીનું પ્રાગટ્ય રહસ્યમય સંજોગોમાં થયું હતું

    શિવ ભક્તો અહી  કેદારેશ્વર મહાદેવના મંદિરે આવી પોતાની મનોકામના પણ લે છે, મહાદેવ તેમની મનોકામના કેદારેશ્વર મહાદેવ પૂરી પણ કરે છે. જેથી વર્ષોથી કેદારેશ્વર મહાદેવની આસ્થા અને શ્રદ્ધા અહીં  શિવભકતોમાં જળવાઈ રહી છે અને એજ આસ્થા આ શ્રાવણ માસમાં જોવા મળી રહી છે.   

    MORE
    GALLERIES