ધર્મભક્તિ ડેસ્ક: શનિ 29 એપ્રિલથી તેની બીજી રાશિ કુંભમાં (kumbh Rashi) ગોચર કરી રહ્યો છે. જ્યારે 5 જૂન એટકે કેઆજે સવારે 3.16 વાગ્યે શનિ વક્રી (ShaniMaharaj Vakri) થશે. વક્રી થવાનો અર્થ હોય છે કે કોઇ ગ્રહ સીધા ચાલતા ચાલતા ઉંધો ફરી જાય. જ્યારે કોઇ ગ્રહ વક્રી થાય છે .તો તે તેનો પ્રભાવ મધ્યમ કરી દે છે.
શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી થવા જઇ રહ્યાં છે. વક્રી થવા પર ગ્રહ ત્રાસુ જોવા લાગે છે. પણ શનિ એવો ગ્રહ છે જેની ગતી મધ્યમ છે. જ્યારે પણ કોઇ ગ્રહ વક્રી થાય છે તો તેની પ્રથમ રાશિને અસર કરે છે. અર્થાત શનિ દેવ મકર રાશિ પર પોતાનો પ્રભાવ રાખશે. વક્રી તવા પર શનિ ગ્રહ પીડામાં આવે છે. તો આવા સમયમાં શનિ સાથે જોડાયેલાં કામો સમજદારીથી કરવા જોઇએ. જેથી શનિનાં ક્રોધનો સામનો ન કરવો પડે.
માન્યતા છે કે, શનિ વક્રી અતિ શુભ ફળ આપે છે. કુંડળીમાં શનિ વક્રી હોય છે તે માટે શનિ શુભફળ આપનાર બની જાય છે. જો તેની પ્લેસમેન્ટ સારી હોય તો એવામાં જાતક થોડા જ સમયમાં ધનવાન બની જાય છે. શનિ ગ્રહની વક્રી (Shani Vakri) ચાલ 5 જૂનથી શરૂ થશે અને 23 ઓક્ટોબર સુધી વક્રી રહેશે. શનિની આ ચાલ દરેક રાશિ પર અલગ-અલગ અસર કરે છે. આ ચાલ કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ સાબિત થાય છે.
મેષ - 5મી જૂને તમારા અગિયારમા ભાવમાં શનિનો વક્રીભવ તમારા માટે શુભ સાબિત થશે. શનિની પૂર્વવર્તી ગતિ તમારી કારકિર્દીને બળ આપશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો સમય તમારા માટે સારો રહેશે. આ સમયગાળા દરમિયાન લાભ મેળવવાની ઘણી તકો આવશે. આવકમાં સારી વૃદ્ધિની પ્રબળ શક્યતાઓ છે. શનિદેવ આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી તકો આપશે.
ધન- આ સમયે શનિ તમારા ત્રીજા ઘરમાં પાછળ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાની અપેક્ષા રહેશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સમય સાનુકૂળ છે. તમે કરિયરમાં સારી સફળતા મેળવી શકશો. આ ભાવમાં વક્રી થવા પર ભાઇ-બહેનથી દૂર કરે છે. પાડોશીઓની સાથે સંબંધમાં પણ ઉદાસીનતા આવે. નાની યાત્રાઓનો લાભ મળશે.