Home » photogallery » dharm-bhakti » Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

Zodiac Signs Nature: જ્યોતિષ શાસ્ત્રમાં એવી 5 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના જાતકો દિલથી મિત્રતા કરે છે, પરંતુ જ્યારે તેઓ દુશ્મની પર ઉતરી આવે છે, તો તમામ હદો તોડી નાખે છે.

विज्ञापन

  • 16

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    જ્યોતિષ શાસ્ત્ર (Astrology) મુજબ કુંડળીના ગ્રહોની સાથે સાથે વ્યક્તિની રાશિની અસર પણ તેની પર્સનાલિટી અને ભવિષ્ય પર પડે છે. માટે એક જ રાશિના લોકોમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી 5 રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના જાતકો દિલથી મિત્રતા કરે છે, પરંતુ જ્યારે તેઓ દુશ્મની પર ઉતરી આવે છે, તો તમામ હદો તોડી નાખે છે. તેઓ તેમના દુશ્મનોને ક્યારેય માફ કરતા નથી અને તક મળતા જ બદલો લઈ લે છે.

    MORE
    GALLERIES

  • 26

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    મેષ (Aries)- મેષ રાશિના લોકો થોડા અહંકારી હોય છે અને પોતાની જાતને બીજા કરતા ચડિયાતા માને છે. આ કારણે તેમના મિત્રો પણ ઓછા છે આ ઉપરાંત જો તેઓને કોઈ વાતનું ખરાબ લાગે તો તેઓ તેને શત્રુ માનતા વાર નથી લગાડતા. આ રાશિનો સ્વામી મંગળ છે, તેથી તેમનામાં ગુસ્સો ઘણો હોય છે અને તેઓ લોકોને સરળતાથી માફ કરી શકતા નથી.

    MORE
    GALLERIES

  • 36

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    મિથુન (Gemini)- મિથુન રાશિના લોકો ખૂબ સારા મિત્રો સાબિત થાય છે. તેઓ ખૂબ જ ખુશખુશાલ અને પ્રમાણિક છે. પરંતુ જો તેમને થોડા પણ હેરાન કરવામાં આવે તો તેઓ બદલો લેવામાં લાંબો સમય લગાડતા નથી. ત્યારે તેમના ગુસ્સાથી બચવું મુશ્કેલ બની જાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    સિંહ (Leo)- સિંહ રાશિના લોકો કોઈને સીધા દુશ્મન નથી બનાવતા, પરંતુ જો કોઈ તેમની ભાવનાઓ સાથે રમે છે તો તેઓ તેને છોડતા નથી. જે વ્યક્તિને તેઓ પોતાનો શત્રુ માની લે છે, તેમની સામે તેઓ અંતિમ શ્વાસ સુધી દુશ્મનાવટ કરે છે. આ લોકો ગુસ્સામાં કંઈ પણ કરે છે.

    MORE
    GALLERIES

  • 56

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    વૃશ્ચિક (Scorpio)- આ રાશિના લોકો મતલબી હોય છે. દરેકમાંથી પોતાનું કામ કઢાવી લેવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે. જ્યારે તેઓ આ કરી શકતા નથી અથવા તેમના કામમાં કોઈને ખામી જણાય તો તેઓ બદલો લેવા પર ઉતરી આવે છે. આ રાશિના જાતકો સાથે સીમિત વ્યવહાર કરવો વધુ સારું રહેશે.

    MORE
    GALLERIES

  • 66

    Zodiac signs: દોસ્તી જ નહીં, દુશ્મની પણ દિલથી નિભાવે છે આ રાશિના લોકો!

    ધનુ (Sagittarius)- ધનુરાશિના લોકો આમ તો પોતાની કારકિર્દી અને કામથી કામ રાખે છે. પરંતુ જો તેઓ કોઈથી નારાજ થાય તો તે નારાજગી છુપાવીને નથી રાખી શક્તા. તેઓ શક્ય તેટલી વહેલી તકે બદલો લે છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)

    MORE
    GALLERIES