Home » photogallery » dharm-bhakti » Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

Makar Sankranti Facts : મકરસંક્રાંતિ એ સૂર્ય ભગવાનના ઉત્તરાયણ અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશનો સમય છે, પરંતુ આ તહેવાર બાળકો અને વડીલો માટે ઉત્સાહ લાવે છે. મેળો, પતંગ ઉડાડવા જેવા સાંસ્કૃતિક આયોજનો આ તહેવાર સાથે સંકળાયેલા છે અને ઘણી ધાર્મિક માન્યતાઓ પણ છે. તમારા દરેક પ્રશ્નનો જવાબ જાણો.

विज्ञापन

  • 17

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું નામ પડતા જ આંખો સામે પતંગ-ફીરકા અને ધાબામાં મોજ મસ્તી કરતા લોકોનુ દ્રશ્ય આંખ સામે ઉભરી આવે છે. જો કે મકરસંક્રાંતિનુ મહત્વ ખાલી પતંગ ચગાવવા સુધી જ સિમીત નથી. તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું જ વધારે છે. આ વખતે દેશના મોટા ભાગમાં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવી રહી છે. આ તહેવાર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ જોડાયેલી છે.

    MORE
    GALLERIES

  • 27

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    મકરસંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસના સ્નાનને મહાસ્નાન કહેવામાં આવ્યું છે. સૂર્ય તમામ રાશિઓને અસર કરે છે, પરંતુ જ્યારે સૂર્ય કર્ક અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ફળદાયી હોવાનું કહેવાય છે. વિદ્વાનો કહે છે કે જો તમે પણ કોઈપણ પવિત્ર જળમાં સ્નાન કરવા ઈચ્છુક છો, તો આ દિવસે કરો કારણ કે તે ખૂબ જ ફળદાયી હોઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોએ જણાવ્યું હતું કે સ્નાન માટેનો પવિત્ર સમયગાળો 15 જાન્યુઆરીએ સૂર્યોદયથી સવારે 11:11 વાગ્યા સુધીનો રહેશે. હવે ઉત્સુકતા એ જાણવાની છે કે મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? અનેક માન્યતાઓમાંની એક માન્યતા એ પણ છે કે આ દિવસે સૂર્યદેવ પોતે જ પોતાના પુત્ર શનિના ઘરે જાય છે અને શનિદેવ મકર રાશિના સ્વામી છે, બસ એટલા માટે જ આ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. એક કથા એવી પણ છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથને અનુસરીને કપિલ મુનિના આશ્રમ દ્વારા સમુદ્રમાં મળી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    મકરસંક્રાંતિ પર કેમ ચગાવવામાં આવે છે પતંગ?: આ સવાલનો જવાબ તમિલના તન્દનાન રામાયણમાં મળે છે. આ ગ્રંથ અનુસાર મકરસંક્રાંતિના અવસરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે પતંગ ચગાવી અને પતંગ ચગાવતા ઇન્દ્રલોક ગયા હતા. ત્યારથી જ આ પર્વ નિમિત્તે પતંગ ચગાવવાની પરંપરા છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના બાલકાંડમાં પણ આ પ્રસંગનું વર્ણન જોવા મળે છે. સંસ્કૃતનો એક શ્લોક પણ આ સંદર્ભમાં છે.

    MORE
    GALLERIES

  • 57

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    શું કહે છે જ્યોતિષ વિદ્વાનો?: જ્યોતિષાચાર્ય અને ભાગવતાચાર્ય પંડિત દીનાનાથ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ વર્ષે 15 જાન્યુઆરીએ સંક્રાંતિ મનાવવામાં આવશે. વેપારીઓ માટે આ સંક્રાંતિ લાભદાયી રહેશે. તો બીજી તરફ મકરસંક્રાંતિના અવસર પર દાનને ખૂબ જ શુભ ગણાવવામાં આવ્યું છે. એક શ્લોકમાં દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે:

    MORE
    GALLERIES

  • 67

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    માઘે માસે મહાદેવ: યો દાસ્યાતી ઘૃતકમ્બલમ, સ ભૂક્તા સકલન ભોગાન અન્તે મોક્ષં પ્રપ્યતિ (माघे मासे महादेव: यो दास्यति घृतकम्बलम, स भुक्त्वा सकलान भोगान अन्ते मोक्षं प्राप्यति)

    MORE
    GALLERIES

  • 77

    Makar Sankranti: કેમ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ? પહેલો પતંગ કોણે ચગાવ્યો અને શું છે આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ? જાણો દરેક માહિતી

    આ દિવસે સ્નાન કર્યા બાદ દાન કરવાની માન્યતા છે. કહેવાય છે કે આ તહેવાર પર આપવામાં આવતું દાન ફરી સો ગણું વધી અને પાછું મળી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે શુદ્ધ ઘી અને બ્લેન્કેટનું દાન મોક્ષનું કારણ કહેવાય છે. સામાન્ય રીતે ખીચડીનું દાન કરવામાં આવે છે.

    MORE
    GALLERIES