આ વર્ષે 2023માં મકર સંક્રાંતિનો તહેવાર 14-15 જાન્યુઆરીના દિવસે રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા સાથે જ ઉત્તરાયણનો પ્રારંભ થશે. મકરસંક્રાંતિના અવસર પર નદીમાં સ્નાન અથવા ઘરના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવાનું મહત્વ છે. ત્યાર પછી સૂર્યદેવની પૂજા કરે છે. સ્નાન અને પૂજા પછી મકર સંક્રાંતિનું દાન કરે છે.
આ દિવસે દાન કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કાશીના જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ જણાવે છે કે મકર સંક્રાંતિ પર દાન કરવાથી સૂર્ય, શનિ સહિત 6 ગ્રહો સાથે જોડાયેલ દોષ દૂર થાય છે. એ બધા ગ્રહો શુભ ફળ પ્રદાન કરે છે. આઓ જાણીએ છે કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ગ્રહો અને ભાગ્ય પ્રબળતા માટે ઉત્તમ છે.
તલનું દાન: મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી તલનું દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો આ દિવસે કાળા તલનું દાન કરો. જો કાળા તલ ન હોય તો સફેદ તલનું જ દાન કરો. આમ કરવાથી સૂર્યદેવની કૃપાથી ધન-ધાન્ય વધે છે અને શનિ દોષ પણ દૂર થાય છે. કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે જ્યારે સૂર્યદેવ શનિદેવના ઘરે પહોંચ્યા ત્યારે શનિદેવે કાળા તલથી તેમનું સ્વાગત કર્યું હતું.
કાળી અડદ, લીલા મગ અને ચોખાના દાળનું દાન કરો: મકરસંક્રાંતિના દિવસે જો તમે કાળી અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કરશો તો શનિ, ગુરુ અને બુધ સંબંધિત દોષ દૂર થશે. કાળા અડદ શનિ સાથે અને લીલા મગ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. ખીચડીમાં તમે હળદરનો ઉપયોગ કરો છો, જે ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. આ બધા ગ્રહોના દોષ દૂર થવાથી તમારું ભાગ્ય બળવાન બને છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવના વધે છે.