Home » photogallery » dharm-bhakti » Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

Mahashivratri Trigrahi Yog 2023: ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ રહેવાનો છે. આ વખતે મહાશિવરાત્રિ પર એક અદ્ભુત ત્રિગ્રહી યોગ રચાઈ રહ્યો છે.

विज्ञापन

  • 16

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    ભાગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર આવવાનો છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, મહાશિવરાત્રિના દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા. ત્યારથી જ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવાની પરંપરા ચાલી રહી છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીના દિવસે શનિવારે ઉજવવામાં આવશે. જ્યોતિષિઓનું કહેવું છે કે મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે ખુબ જ ખાસ રહેવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર એક અદ્ભૂત ત્રિગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 26

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    મહાશિવરાત્રિ પર ત્રિગ્રહી યોગ: 17 જાન્યુઆરી, 2023ના રોજ ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં બેઠા છે. હવે 13 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 18 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય સિવાય ચંદ્ર પણ કુંભ રાશિમાં વિરાજમાન રહેશે. પરિણામે કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને ચંદ્ર એક સાથે ત્રિગ્રહી યોગ રચશે. મહાશિવરાત્રિ પર આ ત્રણેય ગ્રહોનું મિલન દુર્લભ છે, પરંતુ કેટલીક રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.

    MORE
    GALLERIES

  • 36

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    મેષ- મેષ રાશિના લોકો પર ભગવાન શિવની હંમેશા વિશેષ કૃપા રહે છે. જ્યોતિષીઓ અનુસાર, આ ભગવાન શિવની સૌથી પ્રિય રાશિઓમાંથી એક છે. આ મહાશિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનની દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે. આ શુભ પર્વ પર ભગવાન શિવની પૂજા અને જલાભિષેક કરવાથી તમારા અવરોધાયેલા કે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે.

    MORE
    GALLERIES

  • 46

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    વૃશ્ચિકઃ- મેષ રાશિના લોકોની જેમ વૃશ્ચિક રાશિના લોકોને પણ ભોલેનાથની વિશેષ કૃપા હોય છે. આ રાશિનો સ્વામી મંગળ છે. મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમને સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. આ વખતે શિવરાત્રિ પર મહાદેવની પૂજા કરવાથી તમારા અજ્ઞાત ભયનો અંત આવી શકે છે. ભય આપણા માનસિક સ્વાસ્થ્યને પડકારે છે. જ્યારે તે દૂર થવાનું શરૂ થાય છે, ત્યારે તમે ચોક્કસપણે તમારી જાતને ઊર્જાથી ભરપૂર અનુભવશો.

    MORE
    GALLERIES

  • 56

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    મકર - મકર રાશિના સ્વામી ભગવાન શનિ સ્વયં છે. શનિદેવ ભગવાન શિવના પરમ ભક્ત અને સૂર્ય પુત્ર છે. ચંદ્ર અને સૂર્ય સાથે શનિનો સંયોગ મહાશિવરાત્રિ પર મકર રાશિના જાતકોને શુભ ફળ આપનાર છે. તમારી સંપત્તિ અને વેપારમાં વધારો થઈ શકે છે. ઘર અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. સંતાન પક્ષ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. મહાશિવરાત્રી પછી પણ નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખો.

    MORE
    GALLERIES

  • 66

    Trigrahi Yog 2023: મહાશિવરાત્રિ પર સૂર્ય ચંદ્ર અને શનિનો ત્રિગ્રહી યોગ, આ રાશિઓની ખૂલી જશે કિસ્મત

    કુંભઃ- મકર રાશિની જેમ જ કુંભ રાશિનો સ્વામી પણ કર્મના દેવતા શનિ છે. કુંભ રાશિ માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે ભગવાન શિવનો જલાભિષેક કરો અને તમારી ક્ષમતા અનુસાર દાન કાર્ય કરો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે. તમે કારકિર્દી, શિક્ષણ, આરોગ્ય અને નાણાકીય મોરચે ખૂબ જ શુભ પરિણામ મેળવી શકો છો. ભગવાન શિવની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો પણ સમાપ્ત થાય છે.

    MORE
    GALLERIES