હિંદુ ધર્મમાં મહા શિવરાત્રી (Maha Shivratri 2022) ના તહેવારનું ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક તહેવાર દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે બીલીપત્ર અને જળ અર્પણ કરી શકો છો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. આ વર્ષે મહાશિવરાત્રીનો (Maha Shivratri) તહેવાર કેટલીક રાશિઓ (Zodiac Signs) માટે ખૂબ જ શુભ રહેશે. તેમાં મેષ, વૃશ્ચિક અને કુંભ રાશિનો સમાવેશ થાય છે. આ રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે.
મિથુન રાશિ: મહાશિવરાત્રીના દિવસે તમને સારા સમાચાર મળી શકે છે. ભગવાન શિવના તમને વિશેષ આશીર્વાદ મળવાની સાથે વિશેષ કૃપા પણ બની રહેશે. તમારા વૈવાહિક જીવનમાં પણ સારા બદલાવ આવશે. અને સબંધો સુધરવાની સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે. તમારી સાથી સાથે તમારા બંધન મજબૂત થઈ શકે છે અને ભગવાન શિવ તરફથી વિશેષ ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે.