

અમદાવાદ : શનિવાર તા. ૯ - ૧ - ૨૦ર૦ માગશર વદ એકાદશી ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -મણિનગર દ્વારા ખાતે મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અને સત્સંગ સભા યોજાઈ હતી.જેનો લાભ દેશવિદેશનાં ભકતો લઈ શકે તે માટે જેનું પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.


કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મહામંત્રની ર૧૯ મી જયંતી પ્રસંગો વિવિધ ૪૦ ભાષામાં કંડારવામાં આવેલો “સ્વામિનારાયણ '' મહામંત્ર નો ૬ ફૂટ નો વિશાળ પત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં સમર્પિત કરવામાં આવ્યો હતો. અને આ પત્રનું મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી પૂજન,અર્ચન કરીને આરતી ઉતારી હતી.


કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્વામિનારાયણ મહામંત્ર અંગે જણાવ્યું હતું કે, સહજાનંદ સ્વામીએ તેમના ગુરુ શ્રી રામાનંદસ્વામી અંતર્ધાન થયા તેના ચૌદમા ના દિવસે ફણેણી ગામમાં સંવત્ ૧૮૫૮ ના મા ગશર વદ - એકાદશીના રોજ આશ્રિતોને ભજન કરવા માટે “ સ્વામિનારાયણ '' નામ આપ્યું હતું. ત્યારથી આ સંપ્રદાય “ સ્વામિનારાયણ '' તરીકે સારાય વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે. આજે દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો સ્થપાયા છે અને અનેક સત્સંગીઓ બન્યા છે.આ મંત્રોનો જાપ કરવાથી ભૂત,પ્રેત આદિની ઉપાધિનું શમન થઈ જાય છે. માણસ ગમે તેવી મુશ્કેલીમાં હોય અને “ સ્વામિનારાયણ'' મંત્રનો જાપ કરે તો તત્કાળ શ્રી સ્વામિનારાયણ ભગવાન આજેય પ્રગટ દર્શન આપીને તે ભકતના દુઃખોનું નિવારણ કરે છે.